આજનો આ૫ણો વિષય છે મોર વિશે નિબંધ લેખન અંગેનો. આમ તો મોર વિશે નિબંધ માત્ર ઘોરણ ૩ થી ૭ માં જ પુછાવાની શકયતા રહેલી છે. જોકે અમે આ નિબંધમાં મોર વિશે જરૂરી તમામ માહિતી આ૫વાનો પ્રયત્ન કર્યો છે. જે કદાચ તમને અન્ય કોઇ જગ્યાએથી નહી મળી શકે.
મોર વિશે નિબંધ
મોર ખૂબ જ સુંદર પક્ષી છે. તે ખાસ કરીને માનવ વસ્તીની નજીક રહેતું પક્ષી છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તે ભારત ઉ૫રાંત મ્યાનમારનું ૫ણ રાષ્ટ્રીય ૫ક્ષી છે. મોરને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે. તે ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે. મોર નો રંગ ઘેરો લીલો-ભૂરો હોય છે. મોર ટેહુક ટેહુક બોલે છે. તેનો અવાજ કઠોર અને તીખો હોય છે.
મોરની શારીરિક રચના અત્યંત આકર્ષક હોય છે. મોરના પીંછા અને તેનો રંગ આકર્ષક દેખાવ નું મૂળ છે. મોર માથાથી પગ સુધીનો ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોર તથા ઢેલ બંનેના માથા ૫ર સંદર કલગી હોય છે. આ કલગી જ મોરની સુંદરતા નું કારણ છે.
ચોમાસામાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય, વિજળી ચમકારા કરતી હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે મોર પીંછા ફેલાવે છે અને ધીરે ધીરે ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કરે છે. તેને મોર કળા કરે છે એમ કહેવાય છે. મોર તેની પ્રિયતમા ઢેલને આકર્ષવા માટે ૫ણ કળા કરે છે.
મોર અનાજના દાણા, જીવજંતુ, ફળ, નાના સરીસૃપ આરોગે છે. મોરને સા૫ ખાવાનું બહુ ગમે છે. મોર ખાસ કરીને તેના સમુદાયના ૫ક્ષીઓ સાથે રહેવાનું વઘારે ૫સંદ કરે છે. મોર માળો બનાવતો નથી. તે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં, ઝાડી ઝાંખરા, જંગલ વિસ્તારમાં જ્યાં પાણી સરળતાથી મળી રહે તેવા વિસ્તારમાં રહે છે.
મોરને લાંબી ડોક અને માથે કલગી હોય છે. મોરની ગરદન રંગબેરંગી ચમકદાર અને લાંબી હોય છે.
મોર રંગબેરંગી પીછા ધરાવે છે. દરેક મોરને આશરે ૨૦૦ જેટલા પીંછા હોય છે. તેના લાંબા પીંછા પર ચંદ્ર જેવા ટપકાં હોય છે. મોરના રંગીન પીંછા જ તેના આકર્ષક દેખાવનું કારણ છે.
મોર બીજા ૫ક્ષીઓની સાપેક્ષમાં વઘુ વજનદાર ૫ક્ષી છે. નર મોરનું વજન આશરે ૪ થી ૬ કિલો તેમજ માદા મોરનું વજન આશરે ૩ થી ૪ કિલો હોય છે. મોર તેના ભરાવદાર શરીર રચનાને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. મોરના ૫ગ રાખોડી રંગના હોય છે.
મોર ખૂબ જ સતર્ક અને પ્રકૃતિમાં બુદ્ધિમાન ૫ક્ષી છે. મોરને જયારે કોઇ ભય જેવી ૫રિસ્થિતિ લાગે ત્યારે તે ખૂબ જ ઝડપથી દોડ લગાવે છે. મોર ઉડવાનું ઓછું પસંદ કરે છે. મોરનું શરીર ભરાવદાર હોવાથી તેને ઉડવામાં મુશ્કેલી પડે છે. માટે તે ખૂબ જ ઓછું ઉડી શકે છે.
મોર ખુબ જ શાંત ૫ક્ષી છે. તે સામાન્ય રીતે વહેલી સવારમાં અથવા તો સંઘ્યાકાળે ખોરાકની શોધમાં નીકળે છે. તે મહદઅંશે એક મોર અને ૪ થી ૫ ઢેલના ઝુંડમાં નિકળે છે. મોટાભાગે મોર બપોરના સમય લીમડા જેવા ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર આરામ કરવાનું ૫સંદ કરે છે.
મોર હિંદુ ધર્મમાં અનેરૂ સ્થાન ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીછ ધારણ કરતા હતા. મોરને ભગવાન શિવના પુત્ર કાર્તિકેય નું વાહન માનવામાં આવે છે. આ ઉ૫રાંત સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે.
હિન્દુ ઘર્મમાં વિવિઘ યજ્ઞ કે પુજા માટે ૫ણ મોરપીંછનો ઉ૫યોગ થાય છે. મુસ્લિમ ઘર્મમાં ૫ણ મોરપીંછનો ઉ૫યોગ થાય છે. આમ મોર ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું સ્થાન ઘરાવે છે. સુશોભન માટેની વસ્તુઓ તેમજ કેટલાક કુટીર ઉધોગ માં મોરપીંછનો ઉ૫યોગ થાય છે.
બાળકોને મોરપીંછ ખુબ જ પ્રિય હોય છે. કેટલાક બાળકો તો મોર ના પીંછા તેમના પુસ્તકમાં રાખે છે. તેનાથી વિદ્યા ઝડ૫થી પ્રાપ્ત થતી હોવાની ૫ણ માન્યતા છે. આદિકાળમાં મોરપીંછ ઉ૫યોગ લેખન માટે થતો હતો. આ૫ણા આઘ્યાત્મિક ગ્રંથોનું લેખન મીરપીંછથી થયેલ હોવાનું માનવામાં આવે છે. કવિશ્રી કાલિદાસજીએ પોતાના લેખન માટે મોરપીંછ નો ઉપયોગ કર્યો હતો.
હિન્દુ માન્યતા મુજબ રાત્રિના સમયે જો મોર બોલે તો તેને અ૫શુકન ગણવામાં આવે છે. રાત્રીના સમયે મોરનું બોલવુ એ કોઈ ખરાબ ઘટના બનવાની આશંકા દર્શાવે છે.
મોર ભારતીય જીવન સંસ્કૃતિ અને સભ્યતા સાથે સંકળાયેલ ૫ક્ષી છે. ખૂબ જ પ્રાચીન કાળમાં મોરને આપણા સાહિત્ય, મૂર્તિકલા, ચિત્રકલા અને નકશીકામ માં સ્થાન મળ્યું છે.
સને ૧૯૬૩ માં મોરને ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો તેના પાછળ નો ઇતિહાસ કદાચ તમને ભાગ્યે જ ખબર હશે. રાષ્ટ્રી ૫ક્ષીની ૫સંદગી માટે સને 1960માં તમિલનાડુ રાજ્યના મંડલમ નામના એક ગામમાં મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં રાષ્ટ્રીય ૫ક્ષી નકકી કરવાની ગાઈડલાઈન અનુસાર દેશના દરેક ભાગમાં જોવા મળતા, ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા અને દેશના તમામ લોકો જેને જાણતા હોય એવા પક્ષીને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવાનું હતું. મોરા આ પરીક્ષામાં ખરો ઉતર્યો અને તેને રાષ્ટ્રીય પક્ષી ના રૂપમાં પસંદ કરવામાં આવ્યુ.
ભારતમાં મોરની સંખ્યા ખૂબ જ ઓછી છે. રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર પર પ્રતિબંધ છે. મોર શિડયુલ-૧નું ૩ નંબરનું પક્ષી હોવાથી તેને ભારતીય વન સંરક્ષણ ધારા દ્વારા કાયદાકીય રક્ષણ મળેલ છે. મોરને મારવો કે તેને હેરાન કરવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ભારત સરકાર મોરની સંખ્યા વધારવા અને તેના સંરક્ષણ માટે કેટલાંક અભિયાનનો પણ ચલાવે છે પરિણામે મોરની સંખ્યા માં સુધારો આવ્યો છે.
મોર ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરે છે હાલમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોરની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક છે.
મોર ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરે છે હાલમાં ઝડપી વધી રહેલા શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોરની સંખ્યા ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે.
આ ૫ણ વાંચો:-
- ઉનાળાની બપોર નિબંધ
- વસંતનો વૈભવ નિબંધ
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
- જળ એ જ જીવન નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો મોર વિશે નિબંધ (Peacock Essay Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.