વિશ્વ કેન્સર દિવસ 2023, ઇતિહાસ, નિબંધ, ભાષણ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

લોકોને કેન્સર જેવી ઘાતક બિમારીથી પરિચિત કરાવવા તથા તેના વિશે જાગરૂકતા ફેલાવવાના ઉદેશ્યથી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 4 તારીખે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ લેખમાં વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ, ઉજવવાની શરૂઆત કયારે થઇ, તેનો ઉદ્દેશ વિશે માહિતી મેળવીશુ. આ લેખ આપને વિશ્વ કેન્સર દિવસ વિશે નિબંધ અને ભાષણ (Speech) માટે પણ ઉપયોગી બનશે.

કેન્સર એક ભયાનક અને જીવલેણ રોગ છે, જે ધીમે ધીમે એક સ્વસ્થ શરીરનો નાશ કરે છે. કેન્સરના વિવિધ સ્ટેજ હોય ​​છે, જેના દ્વારા ડોકટરો કેન્સરના દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરે છે. કેન્સરથી બચવાના ઘણા રસ્તાઓ છે, જેના વિશે ઘણા લોકો જાણે છે, છતાં તેને અપનાવતા નથી, તો વળી કેટલાક લોકોમાં તેના વિશે જાણકારીનો અભાવ હોય છે, જેના લીધે આજે અનેક લોકો કેન્સર જેવી ખતરનાક બિમારીનો સામનો કરી રહ્યા છે. એટલે જ લોકોમાં આ જીવલેણ રોગ વિશે જાગૃકતા લાવવા માટે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ (World Cancer Day History in Gujarati)

વિશ્વ આરોગ્ય સંસ્થા, UICC (યુનિયન ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ) તથા અન્ય જાણીતા કેન્સર સારવાર અને સંશોધન કેન્દ્રોની મદદથી વર્ષ 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમવાર કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે એક નવી થીમ સાથે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળનો હેતુ સામાન્ય લોકોને કેન્સરના જોખમો અને તેના લક્ષણોથી તથા તેના નિવારણ અંંગેના ઉપાયો વિશે જાગૃત કરવાનો છે.

એક રિપોર્ટ અનુસાર 12.7 મિલિયનથી વધુ લોકોને કેન્સરની બિમારી હોવાનું નિદાન થયું છે અને દર વર્ષે 7 મિલિયન લોકો આ રોગથી મૃત્યુ પામે છે. આ રોગના ભયને રોકવા તથા સાવચેતીનાં પગલાંના ભાગરૂપે લાખો જીવનને કેન્સરથી બચાવવા માટે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કેન્સર ગ્રસ્ત લોકોને યોગ્ય ખોરાકની આદતો, નિયમિત અને યોગ્ય શારીરિક પ્રવૃત્તિ વિશે શીખવવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસની થીમ 2023

 આ વર્ષના વિશ્વ કેન્સર દિવસ 2023ની થીમ, “Close the care gap”, છે. ગયા વર્ષ પણ આ જ થીમ પર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આ થીમ દ્વારા, કેન્સર સામેના યુદ્ધ માટે તમામ નાગરિકોને સમાન કાળજી અને આરોગ્ય સેવાઓની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કેન્સરની શોધ અને ઇતિહાસ

કેન્સર શબ્દની ઉત્પત્તિ ઇ.સ. પૂર્વે ૪૬૦ થી ૩૭૦ની આસપાસ ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સે કરી હતી. તેમને “ચિકિત્સાના જનક” પણ કહેવામાંઆવે છે. હિપ્પોક્રેટ્સે બિન-અલ્સર-રચના અને અલ્સર-રચના ગાંઠોનું વર્ણન કરવા માટે કાર્સિનો અને કાર્સિનોમા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ગ્રીકમાં, આ શબ્દ કરચલા માટે વપરાય છે. એક સંશોધન મુજબ 70-80 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરના અવશેષોમાં કેન્સરના કોષો હોવાના પુરાવા જોવા મળ્યા હતા. 2003માં ઘણા સંશોધન બાદ આ વાત સામે આવી. 4.2-3.9 મિલિયન વર્ષો પહેલા હોમો ઇરેક્ટસમાં સૌથી જૂની હોમિનિડ મેલિગ્નન્ટ ગાંઠ મળી આવી હતી. 1932 માં લુઈસ લીકી દ્વારા આની જાણ કરવામાં આવી હતી.

ઇ.સ. પૂર્વે 3000ના સમયમાં ઇજિપ્તની મમીયોમાં કેન્સરના કોષોના પુરાવા મળ્યા હતા. ઇ.સ. પૂર્વ 1600માં ઇજિપ્તમાં, સ્થાનિક લોકો દેવતાઓમાં કેન્સર હોવા વિશે વાત કરતા હતા. પ્રાચીન ઇજિપ્તીયન સ્ક્રોલે ગર્ભાશય દ્વારા સારવાર કરાયેલા સ્તન ગાંઠોના આઠ કેસોનું વર્ણન કર્યુ છે. તેમણે જણાવ્યું કે બાફેલા જવને ખજૂર સાથે ભેળવીને ખાવાથી પેટના કેન્સરનો ઈલાજ થાય છે. ઇ.સ. પૂર્વે 500 માં ભારતમાં રામાયણમાં વધતી ગાંઠો રોકવામાટે આર્સેનિક પેસ્ટ સાથેની સારવારનું વર્ણન કરવામાં આવ્યું છે.

ઇ.સ. પૂર્વે 50 માં ઇટાલીમાં રોમનોએ શોધ્યું કે સર્જરી દ્વારા કેટલીક ગાંઠો દૂર કરી શકાય છે. પરંતુ તેમણે જોયું કે આ રોગમાં કોઈ દવા કામ કરતી નથી. તેમણે કહ્યું કે તમામ પ્રયાસો પછી પણ કેટલીક ગાંઠો ફરી વધી ગઇ. ઇ.સ. 1500 ના દાયકામાં યુરોપમાં કેન્સર શોધવા માટે અનેકવાર શબપરીક્ષણ આવ્યુ., જેનાથી આંતરિક કેન્સરની સમજણ વધી. ઇ.સ. 1595માં નેધરલેન્ડમાં ઝાચરિયસ જૈનસેને માઇક્રોસ્કોપની શોધ કરી જેના કારણે કેેેેન્સર રોગ વિશે વધુ જાણકારી અને સંશોધન શકય બન્યુ.

કેન્સરના પ્રકારોઃ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, દર 10 માંથી એક ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશમાં 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શકે છે. જેમાં સ્તન કેન્સરના સૌથી વધુ દર્દીઓ હશે. આ ખતરનાક રોગના 100 થી વધુ પ્રકારો છે. આમાંના સૌથી સામાન્ય છે ચામડીનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, મેલાનોમા, લિમ્ફોમા, કિડની કેન્સર. સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર સ્ત્રીઓમાં સૌથી સામાન્ય છે, જ્યારે ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય છે.

વિશ્વ કેન્સર દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

કેન્સર થી બચવા અને તેના નિવારણ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે મુખ્ય આરોગ્ય સંસ્થાઓ તેમજ બિન-સરકારી સંસ્થાઓ દ્વારા શિબિરો, જાગૃતિ કાર્યક્રમો, રેલીઓ, ભાષણો, સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવે છે. લોકોને મોટી સંખ્યામાં તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ ઉજવણી દરમિયાન, લોકોને કેન્સર થવાના જોખમો વિશે વિશેષ જાણકારી આપવામાં આવે છે, જેમ કે તમાકુનો ઉપયોગ, વધુ વજન, શાકભાજી અને ફળોનું ઓછું સેવન, ઓછી અથવા બિલકુન નહી એવી શારીરિક પ્રવૃત્તિ, દારૂનો ઉપયોગ. , એચપીવી ચેપ, શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ, ઘરની અંદર ધૂમ્રપાન, આનુવંશિક જોખમ, અતિશય સૂર્યનો સંપર્ક, વગેરેથી કેન્સર થવાના જોમથી લોકોને જાગૃત કરવામાં આવે છે. હ્યુમન પેપિલોમા વાયરસ અને હેપેટાઇટિસ બી ઉપરાંત લોકોને રસીકરણની પદ્ધતિઓ વિશે પણ જાગૃત કરવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસની ઉજવણીની ઇવેન્ટને લોકોમાં વધુ પરિણામલક્ષી બનાવવા માટે દર વર્ષે ચોક્કસ થીમનો ઉપયોગ કરીને ઉજવણી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે વિવિધ પ્રકારના કેન્સર અને મૃત્યુદરની દ્રષ્ટિએ, લીવર કેન્સર/6,10,000, ફેફસાનું કેન્સર/1.3 મિલિયન, કોલોરેક્ટલ કેન્સર/6,39,000, પેટનું કેન્સર/8,03,000, સ્તન કેન્સર /5,19,000 વિગેરે લોકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

આશા રાખુ છું કે આપને વિશ્વ કેન્સર દિવસ 2023, ઇતિહાસ, નિબંધ, ભાષણ (World Cancer Day in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા વિવિધ દિવસો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment