ડો. રાજેન્દ્ર પ્રસાદ જીવનપરિચય, નિબંધ, માહિતી | Dr Rajendra Prasad in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું પ્રજાસત્તાક અમલમાં આવ્યું ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી રચાયેલી પંડિત જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં રાજેન્દ્ર પ્રસાદને કેબીનેટ મંત્રી તરીકે ખાદ્ય અને કૃષિ વિભાગનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ભારતના બંધારણ ધડતરની પ્રક્રિયામાં પણ તેમનું યોગદાન અમુલ્ય હતુ તેમને ભારતની બંધારણ સભામાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધીજીના મુખ્ય શિષ્યોમાંના એક હતા, તેઓ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા સુધી મક્કમ હતા. તેમનું નામ ભારતના અગ્રિમ સ્વાતંત્ર્ય સેનાઓમાં ગૌરવ સાથે લેવામાં આવે છે.

રાજેન્દ્ર પ્રસાદ બિહારના મુખ્ય નેતા હતા. મીઠાના કાયદાના ભંગની ચળવળ અને ભારત છોડો આંદોલન દરમિયાન તેમને જેલવાસો પણ ભોગવ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી, પ્રસાદજી બિનપક્ષીય અને સ્વતંત્ર નિર્ણયો લેવા માંગતા હતા, તેથી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિવૃત્તિ લીધી. રાજેન્દ્ર પ્ર્રસાદજીએ ભારતમાં શિક્ષણના વિકાસ માટે વધુ ભાર આપ્યો હતો, તેમણે નેહરુજીની સરકારને ઘણી વખત આ બાબતે સલાહ પણ આપી હતી.

ડો. રાજેન્દ્ર પ્રસાદ જીવનપરિચય (Dr Rajendra Prasad in Gujarati)

નામડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જન્મ3 ડિસેમ્બર 1884
જન્મ સ્થાનબિહારના જીરાદેઈ ગામમાં
પિતા નું નામમહાદેવ સહાય
માતા નું નામકમલેશ્નરી દેવી
વૈવાહિક સ્થિતિપરણિત
પત્ની નું નામરાજવંશી દેવી
બાળકોમૃત્યુંજય પ્રસાદ
શિક્ષણકોલકાતા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજુએટ, લો માં પોસ્ટ ગ્રેજુએશન (LLM), અને લો માં ડૉક્ટરેટ
પુરસ્કારભારત રત્ન
મૃત્યુ28 ફેબ્રુઆરી 1963
મૃત્યુ સ્થાનપટના, બિહાર

પ્રારંભિક જીવનઃ

ડૉ. પ્રસાદનો જન્મ 3 ડિસેમ્બર, 1884ના રોજ બિહારના નાનકા ગામ જીરાદેઈમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાઓના મહાન વિદ્વાન હતા. જ્યારે માતા ધાર્મિક મહિલા હતાં, તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતા હતા. ડૉ. પ્રસાદના બાળ લગ્ન 12 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ રાજવંશી દેવી હતું.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું શિક્ષણઃ

5 વર્ષની ઉંમરે, પ્રસાદના માતા-પિતાએ તેમને એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેમના ભાઈ મહેન્દ્ર પ્રતાપ સાથે, તેમણે પટનામાં ટીકે ઘોષ એકેડમીમાં ભણવાનું શરૂ કર્યું.

ત્યારબાદ તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પરીક્ષા આપી, જેમાં તે ખૂબ જ સારા નંબરો સાથે પાસ થયા, જેથી તેમને દર મહિને 30 રૂપિયાની સ્કોલરશિપ મળવા લાગી. પ્રથમ વખત તેમના ગામના એક યુવાને કલકત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, જે ચોક્કસપણે રાજેન્દ્ર પ્રસાદ અને તેમના પરિવાર માટે ગર્વની વાત હતી.

1902 માં, પ્રસાદજીએ પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેઓ સ્નાતક થયા. 1907 માં, તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું. તેમણે 1915 માં કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, જેના માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાયદામાં ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી. અભ્યાા પુર્ણ કર્યા બાદ તેઓ પટના આવ્યા અને વકીલાતની પ્રેકટીશ શરૂ કરી જે દરમિયાન તેમણે કમાણીની સાથે સાથે સારી એવી નામના મેળવી.

સાદગી, સેવા, ત્યાગ, દેશભક્તિ અને આઝાદીની ચળવળમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી. ડૉ. રાજેન્દ્ર બાબુ ખૂબ જ સરળ અને ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા, તેઓ દરેક વર્ગના લોકો સાથે સમાન રીતે વર્તતા હતા.

રાજકારણમાં ડો.રાજેન્દ્ર પ્રસાદનું પ્રથમ પગલુંઃ

બિહારમાં બ્રિટિશ સરકાર પાસે નીલ એટલે ગળીના ખેતરો હતા, સરકાર તેના મજૂરોને યોગ્ય વેતન આપતી ન હતી. 1917માં મહાત્મા ગાંધીજી બિહાર આવ્યા અને આ સમસ્યાના ઉકેલ માટે પહેલ કરી. તે જ દરમિયાન ડૉ. પ્રસાદ ગાંધીજીને મળ્યા, તેઓ તેમની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા. 1919માં સમગ્ર ભારતમાં નાગરિક ચળવળની લહેર હતી. ગાંધીજીએ તમામ શાળાઓ, સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. જે બાદ ડો.પ્રસાદે નોકરી છોડી દીધી હતી.

ચંપારણ ચળવળ દરમિયાન રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજીના વફાદાર સાથી બન્યા હતા. ગાંધીજીના પ્રભાવમાં આવ્યા પછી, તેમણે તેમની જૂની અને રૂઢિચુસ્ત વિચારધારા છોડી દીધી અને નવી ઊર્જા સાથે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. 1931માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન ડો.પ્રસાદને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. 1934માં તેમને બોમ્બે કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમને એકથી વધુ વખત પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમણે 1942 માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા.

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી હોવા છતાં, તેના થોડા સમય પહેલા જ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડોકટર ભીમરાવ આંબેડકર અને રાજેન્દ્ર પ્રસાદે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડૉ.પ્રસાદને ભારતના બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રાતદિવસની મહેનત બાદ તૈયાર થયેલા ભારતના આ બંધારણ પર હસ્તાક્ષર કરીને ડૉ.પ્રસાદે તેને માન્યતા આપી હતી.

રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે

26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને તેના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના રૂપમાં મળ્યા. 1957માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ, જેમાં રાજેન્દ્ર પ્રસાદને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો જ્યારે એક જ વ્યક્તિ સતત બે વખત રાષ્ટ્રપતિ બન્યા. 1962 સુધી તેઓ આ સર્વોચ્ચ પદ પર બિરાજમાન રહ્યા. 1962માં જ પોતાનું પદ છોડીને તેઓ પટના ગયા અને બિહાર વિદ્યાપીઠમાં રહીને લોકસેવા કરી.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મળેલા પુરસ્કારો અને સન્માનોઃ

1962 માં, તેમને તેમના રાજકીય અને સામાજિક યોગદાન માટે ભારતના શ્રેષ્ઠ નાગરિક સન્માન “ભારત રત્ન”, થી નવાજવામાં આવ્યા હતા. તેઓ એક વિદ્વાન, તેજસ્વી અને ઉદાર મનના વ્યક્તિ હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું અવસાનઃ

28 ફેબ્રુઆરી, 1963ના રોજ ડૉ.પ્રસાદનું અવસાન થયું. તેમના જીવન સાથે જોડાયેલી ઘણી એવી ઘટનાઓ છે જે સાબિત કરે છે કે રાજેન્દ્ર પ્રસાદ ખૂબ જ દયાળુ અને શુદ્ધ સ્વભાવના હતા. ભારતીય રાજકીય ઇતિહાસમાં તેમની છબી એક મહાન અને નમ્ર રાષ્ટ્રપતિની છે. પ્રસાદજીની યાદમાં પટનામાં ‘રાજેન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ‘ બનાવવામાં આવ્યું હતું.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છુ કે તમને અમારો ડો. રાજેન્દ્ર પ્રસાદ જીવનપરિચય, નિબંધ, માહિતી (Dr Rajendra Prasad in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. વિધાર્થી મિત્રોને રાજેન્દ્ર પ્રસાદ વિશે નિબંધ (Dr Rajendra Prasad essay in gujarati) લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment