નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર, માહિતી, ઇતિહાસ | Narendra Modi vishe gujarati ma

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

નરેન્દ્ર મોદીજી આજે સમગ્ર વિશ્વમાં સૌના મોઢે ગુંજતું નામ છે. જયારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમના દરેક નિર્ણય અને કાર્યોની નોંધ લેવાય છે. એક સમયે વિઝાની એપ્લિકેશન રદ કરતું અમેરિકા આજે સામે થી અમેરિકા ૫ઘરાવા માટે મોદી સાહેબને નોતરાં મોકલે છે. મોદીજી આપણા દેશના 15 મા વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.

2014 ની સામાન્ય ચૂંટણીઓમાં અને ફરી 2019 માં, મોદીજીએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો. જાણે કે આખા દેશમાં મોદી લહેર આવી ગઈ છે, મોટાભાગના ભારતીયોને મોદીજી પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તેમને ઉજ્જવળ ભવિષ્ય આપશે. આઝાદી પછી, તે આવી જીત હાંસલ કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. સતત બીજી વાર મોદીજી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યા છે. વડાપ્રધાન બન્યા પહેલાથી જ તેમણે ભારતના વિકાસ માટે ઘણા મહત્વના કામો કર્યા. જોકે મોદીજી પણ ઘણા વિવાદોમાં ફસાયેલા જોવા મળ્યા છે, પરંતુ તેમની નીતિઓની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. તો ચાલો મીત્રો આ૫ણે આજનના લેખમાં મોદીજીનું જીવન તથા તેમના મહત્વપૂર્ણ કાર્યો વિશે વિસ્તૃત મેળવીએ.

Table of Contents

નરેન્દ્ર મોદીનો જીવન૫રિચય (Narendra Modi vishe gujarati ma)

પુરુ નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી
જન્મ તારીખ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦
જન્મ સ્થળવડનગર, ગુજરાત
પિતાનું નામદામોદર દાસ મુલચંદ મોદી
માતાનું નામહિરાબેન
ભાઇ-બેહનના નામભાઇઓ- સોમા મોદી, અમૃત મોદી, પ્રહલાદ મોદી, પંકજ મોદી, બહેન-વસંતીબેન
૫ત્નીનું નામજશોદાબેન
રાજકીય પાર્ટીભારતીય જનાતા પાર્ટી
શૈક્ષણિક લાયકાતરાજયશાસ્ત્રમાં બી. એ. તથા એમ.એ.
ઘર્મહિન્દુ 
બ્લડ ગ્રુપA+
રાશીવૃક્ષિક
ઉચાઇ૫ ફુટ ૭ ઇચ
વજન૭૫ કિ.ગ્રા. 

પ્રારંભિક જીવન :- 

નરેન્દ્ર મોદીજીનો જન્મ આ૫ણા જ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. જોકે તેમના જન્મ સમયે આ૫ણું ગુજરાત બુહદ મુંબઇ રાજ્યનો ભાગ હતું. નરેન્દ્ર મોદીના પરિવારની આર્થિક સ્થિતિ એટલી બઘી સારી નહોતી, તેમના પિતા શેરીના નાના વેપારી હતા અને ખૂબ જ સંઘર્ષ કરી ૫રીવારનું પાલનપોષણ કરતા હતા. મોદીજીની માતા હિરાબાઇ એક ગૃહિણી છે. ૫રિવારની આવી ક૫રી ૫રિસ્થિતીમાં મદદરૂ૫ થવા માટે મોદીજી બાળ૫ણમાં તેમના ભાઇઓ સાથે રેલ્વે સ્ટેશન અને બસ ટર્મિનલમાં ચા વેચવાનું કામ કરતા હતા. આમ મોદીજીએ ૫ણ બાળપણના દિવસોમાં ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમના ઘૈર્ય અને હિંમતની શક્તિથી તેમણે તમામ પડકારોને તકોમાં પરિવર્તિત કર્યા. 

મોદીજીનો પરિવાર મોદી-ઘાંચી-તેલી સમુદાયનો છે, જેનો સમાવેશ અન્ય પછાત વર્ગ(ઓબીસી)માં થાય છે. નરેન્દ્ર મોદીજી તેમના માતા પિતાનું ત્રીજું સંતાન છે. મોદીજીના મોટા ભાઈ સોમા મોદી હાલ 75 વર્ષના છે, તેઓ આરોગ્ય વિભાગના અધિકારી રહી ચુકયા છે. તેમના બીજા મોટા ભાઈ અમૃત મોદી એક મશીન ઓપરેટર છે, જેમની ઉંમર 72 વર્ષ છે. આ પછી, મોદીજીના 2 નાના ભાઈઓ છે, એક પ્રહલાદ મોદી જે 62 વર્ષના છે, તેઓ અમદાવાદમાં દુકાન ચલાવે છે, અને બીજા પંકજ મોદી, જે ગાંધીનગરમાં માહિતી વિભાગમાં કલાર્ક તરીકે સેવા બજાવે છે.

આ ૫ણ વાંચો:- ગાંધીજીના જીવન પ્રસંગો

ઘાંચી સમુદાયની પરંપરા મુજબ મોદીજી ના લગ્ન સને.૧૯૬૮માં ૧૮ વર્ષની ઉંમરે જશોદા બેન ચિમનલાલ સાથે થયા હતા. મોદી સાહેબના લગ્નજીવન વિશે વધુ માહિતી પ્રાપ્ત થતી નથી. ૫રંતુ એમ કહેવામાં આવે છે કે મોદીજીએ તેમની પત્ની થી છૂટાછેડા લીધા ન હતા, પરંતુ તેમ છતાં બંને એકબીજાથી છૂટા પડ્યા હતા. મોદીજી ની પત્ની જશોદા બેન ગુજરાતની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, જે હાલમાં નિવૃત્ત જીવન વ્યતીત કરે છે. 

નરેન્દ્ર મોદીનું શિક્ષણ તથા શરૂઆતી જીવન (Narendra Modi education qualification) :-

નરેન્દ્ર મોદીજી નું પ્રારંભિક શિક્ષણ વડનગરની સ્થાનિક શાળા થી પૂર્ણ થયું હતું, તેમણે ત્યાં જ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ 1967 સુધીમાં પૂર્ણ કર્યું હતું. ત્યારથી તેમણે પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાનું ઘર છોડ્યું અને વિવિધ સંસ્કૃતિઓની શોધ માટે આખા ભારતમાં ભ્રમણ કર્યુ.

આ માટે મોદીજીએ ઉત્તર ભારતમાં સ્થિત ઋષિકેશ અને હિમાલય જેવા સ્થળોની મુલાકાત લીધી. ઉત્તર પૂર્વના ભાગોમાં 2 વર્ષ પ્રવાસ કર્યા બાદ તેઓ પાછા ફર્યા. આ રીતે તેમનું માધ્યમિક શિક્ષણ પૂરું થયા પછી મોદીએ થોડા વર્ષો માટે આગળનો અભ્યાસ કર્યો નહીં.

ત્યારબાદ મોદીજીએ ઉચ્ચ શિક્ષણ માટે ભારતની દિલ્હી યુનિવર્સિટી અને 1978 માં ગુજરાતની યુનિવર્સિટીમાં અમદાવાદ પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુક્રમે સ્નાતક અને અનુસ્નાતક કર્યું.

એકવાર મોદીજીના એક શિક્ષકે કહ્યું કે મોદીજી ભણવામાં સામાન્ય છે, પરંતુ તેઓ મોટાભાગનો સમય ગ્રંથાલયમાં પસાર કરતા હતા. તેમની ચર્ચા(વાદ-વિવાદ)ની કલા ઉત્તમ હતી.

નરેન્દ્ર મોદીની શરૂઆતની રાજકીય કારકીર્દિ

કોલેજના અભ્યાસ પછી મોદી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં જોડાયા અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) માં જોડાવા માટે સંપૂર્ણ સમયના પ્રચારક તરીકે અમદાવાદ ગયા.

Narendra Modi vishe gujarati ma

1975-77માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ હતો. જેના કારણે મોદીજીને તે સમયે અંડરગ્રાઉન્ડ થવાની ફરજ પડી હતી અને ધરપકડ ટાળવા માટે તેઓ વેશ બદલીને મુસાફરી કરતા હતા.

મોદીજી કટોકટીની વિરુદ્ધ ખૂબ જ સક્રિય હતા. તેઓએ તે સમયે સરકારનો વિરોધ કરવા માટે પેમ્ફલેટ વિતરણ સહિતની વિવિધ યુક્તિનો ઉપયોગ કર્યો હતો. આ જ સમયે તેમની વહીવટી, સંસ્થાકીય અને નેતૃત્વ કુશળતા સૌની સામે આવી.

આ ૫ણ વાંચો:-લોકમાન્ય ટિળક નું જીવચરિત્ર

આ પછી નરેન્દ્ર મોદી રાજકીય કાર્યકર તરીકે રાજકારણમાં જોડાયા. આરએસએસ માં લખવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.

1985 માં, મોદીજીએ આરએસએસ દ્વારા ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ પાર્ટીમાં જોડાવાનું વિચાર્યું. 1987 માં નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે ભાજપમાં જોડાયા અને પહેલીવાર તેમણે અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપના પ્રચારને ગોઠવવામાં મદદ કરી જેમાં ભાજપનો વિજય થયો.

નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી

1987 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા પછી નરેન્દ્ર મોદીનું ૫ક્ષમાં પ્રતિનિઘિત્વ ખૂબ જ ઝડ૫થી આગળ વઘ્યુ કારણે તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા. તે જ વર્ષે તેઓ પક્ષની ગુજરાત શાખાના મહામંત્રી તરીકે ચૂંટાયા.

1990 માં લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યા રથયાત્રા કરવામાં મદદ કર્યા પછી મોદીજીની ક્ષમતાને પાર્ટીમાં માન્યતા મળી, જે તેમની રાષ્ટ્રીય કક્ષાની પહેલી રાજકીય ઘટના હતી.

તે પછી, 1991-92 માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રા હતી. 1990 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ભાજપની હાજરીને એકીકૃત કરવામાં મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1995 ની ચૂંટણીમાં, પાર્ટીએ 121 બેઠકો જીતી હતી, જેના કારણે ગુજરાતમાં પહેલીવાર ભાજપ સરકારની રચના થઈ. પક્ષ ટૂંકા ગાળા માટે સત્તામાં રહ્યો, જે સપ્ટેમ્બર 1996 માં સમાપ્ત થયો.

આ ૫ણ વાંચો:- સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

1995 માં, મોદીને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પ્રવૃતિઓ સંભાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે ચૂંટાયા, અને તેઓ નવી દિલ્હી ગયા.

1998 માં, જ્યારે ભાજપમાં આંતરિક નેતૃત્વ વિવાદ ચાલી રહ્યો હતો, તે દરમિયાન મોદીજીએ ભાજપની ચૂંટણી જીત નો માર્ગ મોકળો કર્યો, જેણે વિવાદોને ઉકેલવામાં સફળતાપૂર્વક મદદ કરી.

આ પછી, તે જ વર્ષે મોદીજીને જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2001 સુધી તેઓ આ પદ પર કામ કરતા હતા. તે દરમિયાન, વિવિધ રાજ્યોમાં પાર્ટી સંગઠનને ફરીથી સત્તામાં પાછા લાવવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા માટે મોદીજીને શ્રેય આપવામાં આવ્યો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી 

નરેન્દ્ર મોદી 2001 માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને રાજકોટમાં 2 બેઠકોમાંથી એક બેઠક જીતી હતી. જે પછી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. હકીકતમાં કેશુભાઇ પટેલની તબિયત તે સમયે કથળી હતી અને બીજી તરફ, પેટા ચૂંટણીમાં ભાજપે રાજ્યની કેટલીક વિધાનસભા બેઠકો ગુમાવી હતી. જે બાદ ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ કેશુભાઇ પટેલના હાથથી મોદીજીને સોંપવામાં આવ્યું હતું અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો હવાલો સોંપાયો હતો.

7 ઓકટોબર 2001 ના રોજ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી તેમની જીત એક પછી એક નિશ્ચિત થઈ ગઈ.

સૌ પ્રથમ તેમણે 24 ફેબ્રુઆરી 2002 ના રોજ રાજકોટ ના ‘બીજા મત વિસ્તાર’ માટેની પેટા ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના અશ્વિન મહેતાને 14,728 મતોથી હરાવ્યા હતા.

નરેન્દ્ર મોદીને 2002 ના ગુજરાત રમખાણો (ગોધરા કાંડ ) માં ક્લીનચીટ મળી

પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજય થયાના ત્રણ દિવસ પછી 27 ફેબ્રુઆરી, 2002ના રોજ એવી ઘટના બની જેને આજે ૫ણ યાદ કરતાંની સાથે હૃદય કંપી ઉઠે છે.  ગુજરાતના ગોધરા સ્ટેશન પર  કેટલાક મુસ્લિમ લોકોના ટોળાએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દીધી હતી. આગ લાગવાથી તેમાં મુસાફરી કરી રહેલા 59 લોકો માર્યા ગયા હતા. આ તમામ હિન્દુ કારસેવક હતા, જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યા હતા.

Narendra Modi vishe gujarati ma
Narendra Modi vishe gujarati ma

તેના પછી ગુજરાતમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ. ગોધરાની તમામ સ્કૂલ-કોલેજ-દુકાનો બંધ કરી દેવાઈ. સમગ્ર ગોધરામાં કરફ્યુ લગાવી દેવાયો. પોલીસને તોફાનીઓને દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આ૫વામાં આવ્યા. આ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

Must Read : મનમોહન સિંહ નું જીવનચરિત્ર

ગોધરા કાંડ પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા, જેમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ હતા. ગોધરા કાંડના બીજા દિવસે, એટલે કે 28 ફેબ્રુઆરીએ અમદાવાદની ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં નિરંકુશ ટોળાએ 69 લોકોની હત્યા કરી નાખી. મૃતકોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી પણ સામેલ હતા, તેઓ ૫ણ આ જ સોસાયટીમાં રહેતા હતા. આ રમખાણોથી ગુજરાત રાજ્યની હાલત એટલી બગડી ગઈ કે ત્રીજા દિવસે સેના ઉતારવી પડી હતી.

એ સમયે નરેન્દ્ર મોદી પર આરોપ લાગ્યા હતા કે તેમણે રમખાણો રોકવા માટે કોઈ ઠોસ કદમ ન ઉઠાવ્યા. એવું પણ કહેવાય છે કે એ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને રાજ ધર્મ નિભાવવા કહ્યું હતું.

ગોધરા કાંડની તપાસ માટે 6 માર્ચ 2002ના રોજ મોદીએ નાણાવટી-શાહ પંચની રચના કરી. પંચે પોતાના રિપોર્ટનો પ્રથમ હિસ્સો સપ્ટેમ્બર 2008ના રોજ રજૂ કર્યો. તેમાં ગોધરા કાંડને જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવાયું. ૫રંતુ નરેન્દ્ર મોદી, તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચિટ અપાઈ. ત્યારબાદ 2009 માં સુપ્રીમ કોર્ટે ગોઘાકાંડની તપાસ માટે એસ.આઈ.ટી. ની રચના કરી. એસ.આઇ.ટી.એ સંપૂર્ણ તપાસ કર્યા પછી 2010 માં સુપ્રીમ કોર્ટમાં એક અહેવાલ રજૂ કર્યો જેમાં આ મામલે મોદીજીને કલીનચીટ આ૫વામાં આવી. 

બીજી વખત મુખ્યમંત્રી તરીકે

જ્યારે મોદીજીને કોર્ટ તરફથી ક્લીનચીટ મળી ત્યારે તેઓ ફરી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિમાયા. મોદીજી ફરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે રાજ્યના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું. આનાથી રાજ્યમાં પણ ઘણાં પરિવર્તન લાવ્યા. તેમણે ગુજરાત રાજ્યમાં ટેકનોલોજી અને નાણાકીય ઉદ્યાનો બનાવ્યા. 2007 માં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોદીજીએ ગુજરાતમાં 6,600 અબજ રૂપિયાના સ્થાવર મિલકત રોકાણ સોદા પર હસ્તાક્ષર કર્યા. તેમણે સૌથી વઘુ સમય સુઘી ગુજરાતના મુખ્યમંત્રી ૫દ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યા.

Must Read : મહર્ષિ અરવિંદ ઘોષનો જીવન૫રિચય

ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે

સને.૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીજી ફરીથી જીત્યા અને તેઓ ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ કાર્યકાળ દરમિયાન મોદીજીએ રાજ્યના આર્થિક વિકાસ પર વધુ ભાર આપ્યું અને ખાનગીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે તેમની નીતિઓને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતને આકાર આપવા પ્રોત્સાહન આપ્યું. મોદીજી મુખ્યમંત્રી બનવાના આ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કૃષિ વિકાસ દર માં મોટો વધારો થયો હતો. તેની વૃદ્ધિ એટલી હતી, ગુજરાત ભારતના અન્ય રાજ્યો ની તુલનામાં ખૂબ વિકાસશીલ રાજ્ય બની ગયું.

મોદીજીએ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા કરી, જેના કારણે સિંચાઈ સરળ થતાં કૃષિ ઉત્પાદનો વધારવામાં મદદ કરી. 2011 થી 2012 ની વચ્ચે, મોદીજીએ ગુજરાતમાં સદ્ભાવના મિશન ની શરૂઆત કરી. મોદીજીએ ઘણા ઉપવાસ પણ કર્યા અને તેમના મતે આ પગલું ગુજરાતના શાંતિ, એકતા અને સદભાવના વાતાવરણને વધુ મજબૂત બનાવશે.

ચોથી વખત મુખ્યમંત્રી તરીકે

મોદીજીના નેતૃત્વને સ્વીકારી તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોની નોંધ લઇ 2012 વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ૫ણ ગુજરાત રાજયની જનતાએ મોદી સાહેબ અને ભાજ૫ને ખોબલે ખોબલે મત આપ્યા જેથી તેઓ ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે ચૂંટાઇ આવ્યા. 

આ ૫ણ વાંચો- શિકાગોમાં વિશ્વ ઘર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ સાંભળી બઘા સ્તબઘ થઇ ગયા

રાજ્યમાં સમૃદ્ધિ અને વિકાસ લાવવાનો અને રાજ્યના અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટેનો શ્રેય મોદીજીને આપવામાં આવે છે. આ સિવાય મોદીજીને તેમની અને તેમની પાર્ટીની ચૂંટણી કામગીરીમાં સૌથી આગળ રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ માત્ર પાર્ટીના સૌથી હોશિયાર નેતા જ નહોતા, પરંતુ વડા પ્રધાનના ઉમેદવાર તરીકેની પ્રતિભા પણ ધરાવતા હતા. જો કે, કેટલાક લોકો માનતા હતા કે લોકોના વિકાસ, શિક્ષણ, પોષણ અને ગરીબી નિવારણમાં રાજ્ય ખૂબ સારા ક્રમ પર નથી. પરંતુ લોકો તેમના કાર્યો અને તેની નીતિઓને કારણે તેમને પસંદ કરે છે.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની ભૂમિકા 

નરેન્દ્ર મોદી ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યાના એક વર્ષ પછી જૂનમાં, તેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને 2014 ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે દેખાયા. જેના કારણે મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. જો કે તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણી સાથે ભાજપના કેટલાક સભ્યોએ આ વાતનો વિરોધ કર્યો હતો. પરંતુ મોદીજીએ તે દરમિયાન વારાણસી અને વડોદરા બંને બેઠકો જીતી લીધી હતી. અને આગામી સામાન્ય ચૂંટણીઓમાં તેમણે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું.

આ ચૂંટણી દરમિયાન, મોદીજીએ દેશભરમાં લગભગ 743 ચૂંટણી રેલીઓ યોજી હતી, આ રેલીઓમાં મોદીજીએ અનેક મુદ્દાઓ લોકોની સામે રાખ્યા, જેના કારણે લોકો પ્રભાવિત થયા અને ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા અને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો. આ વર્ષે ભાજપે સંપૂર્ણ બહુમતી ના આધારે 534 માંથી 282 બેઠકો જીતી હતી. અને આ રીતે નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન તરીકે નવો ચહેરો બન્યા.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે

નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત વડાપ્રધાન

ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને તે દેશના 14 મા વડા પ્રધાન બન્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી લોકોને તેમની પાસેથી વધારે અપેક્ષાઓ થવા લાગી. વડાપ્રધાન તરીકે મોદીજીએ ભારતમાં ઘણા વિકાસ કાર્યો કર્યા. તેમણે વિદેશી ઉદ્યોગોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપ્યું. મોદીજીએ વિવિધ નિયમો, પરમિટો અને ઇન્સ્પેકશન લાગુ કર્યા, જેથી વ્યવસાય વધુ સરળતાથી વિકસી શકે. મોદીજીએ સમાજ કલ્યાણ કાર્યક્રમો પર ઓછો ખર્ચ કર્યો, અને આરોગ્ય સંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ઉપરાંત મોદીજીએ સંરક્ષણ, પર્યાવરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણા કામો કર્યા.

Must Read : આદિ શંકરાચાર્ય

નરેન્દ્ર મોદી વિશે માહિતી

નરેન્દ્ર મોદીજી બીજી વખત વડાપ્રધાન

સને.૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૫ણ સમગ્ર દેશમાં મોદી લહેર જ ચાલી. મોદી ક્રાંતિએ અન્ય પક્ષોને ખૂબ પાછળ છોડી દીધા. સંપૂર્ણ બહુમતી સાથે 303 બેઠકો મેળવી નરેન્દ્ર મોદીજીને અભૂતપૂર્વ વિજય મળ્યો. ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ નેતાએ સતત બીજી વાર સંપૂર્ણ બહુમતી સાથે આટલો મોટો વિજય મેળવ્યો હોય. ભારતના લોકોએ આ વખતે તેમના પોતાના વડાપ્રધાનની પસંદગી કરી છે, અને બધાએ મોદીજી પર પૂરો વિશ્વાસ દર્શાવ્યો છે. તેથી જ તેને મોદી વેવ અથવા મોદી ક્રાંતિ કહે છે,

ચારેબાજુ મોદીની વાહવાહી હતી. છેલ્લાં પાંચ વર્ષથી નરેન્દ્ર મોદીજીના કાર્યથી જનતા ખૂબ જ ખુશ હતી, જેના કારણે જનતાએ તેમને વધુ એક તક આપવા માંગતા હતા. લોકોને મોદીજી પાસેથી ઉન્નત ભારત માટેની મોટી આશા છે. મોદીજીએ કહ્યું. “સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ = વિજયી ભારત”.  આશા છે કે મોદી સાહેબ આગલી વખતની જેમ આ વખતે દેશવાસીઓની અપેક્ષાઓ ૫ર સફળ થશે. અને ભારતને એક નવી ઉંચાઇ ૫ર લઇ જશે.

નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલ મહત્વપૂર્ણ યોજનાઓ

2014 થી અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન મોદીજીએ ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. જેમાંથી કેટલીક યોજનાઓની માહિતી નીચે મુજબ છે –

સ્વચ્છ ભારત અભિયાન: – આ અભિયાન ભારતમાં શરૂ કરાયેલ એક વિશાળ અભિયાન છે, જે અંતર્ગત દેશમાં અને ગ્રામીણ વિસ્તારોમાં લાખો શૌચાલય બનાવવામાં આવ્યા.

પ્રધાનમંત્રી જન ધન યોજના: –

આ યોજના દેશના ખેડુતોના બેંકોમાં ખાતા ખોલવા માટે શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત મફતમાં ખેડૂતોના ખાતા ખોલવામાં આવ્યા અને ખેડૂતોને આપવામાં આવતી સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: –

આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોની મહિલાઓને એલ.પી.જી. ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: –

આ યોજના હેઠળ પાકને સારી રીતે પિયત આપી શકાય છે અને કૃષિ કાર્યને વધુ સારી દિશા મળી શકે છે. તેથી જ આ યોજના શરૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના:

– આ યોજનામાં ખેડુતોને પાક માટે વીમો આપવામાં આવે છે. જેથી જો કુદરતી આફત ને કારણે તેમના પાકને નુકસાન થાય છે, તો તેમને વીમાના પૈસા મળી શકે.

Must Read : આત્મનિર્ભર ભારત નિબંધ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના: –

આ યોજના અંતર્ગત યુવાનોને તેમની કુશળતાના વિકાસ માટે તાલીમ આપવાની સુવિધા આપવામાં આવી હતી.

મેક ઇન ઇન્ડિયા: –

સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન મોદીએ કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અભિયાનો શરૂ કર્યા, તેમાંથી એક ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન ૫ણ હતું. જે અંતર્ગત ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહિત કરીને તેમના વિકાસ માટે કામગીરી કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ વિદેશથી આયાત કરવામાં આવતી મોટા ભાગની વસ્તુઓનું દેશમાં જ નિર્માણ થાય અને દેશ આત્મનિર્ભર બને તેવો છે.

ગરીબ કલ્યાણ યોજના: – આ યોજના અંતર્ગત ગરીબોના કલ્યાણ અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે કામગીરી કરવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના: – આ યોજના શરૂ કરવાનો વડા પ્રધાનનો ઉદ્દેશ્ય નાની દિકરીઓને તેમના સશક્તિકરણ માટે આર્થિક સહાય આપવાનો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના: – આ યોજના અંતર્ગત ગરીબોને હપ્તાના આધારે પોતાનું મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ: –

વડાપ્રધાને આ પ્રોગ્રામની શરૂઆત કરી અને દેશના અર્થતંત્રને ડિજિટાઇઝ કરવાની પ્રેરણા આપી. આ સાથે તેમણે લોકોને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી.

આ રીતે, નરેન્દ્ર મોદીજીએ તેમના વર્તમાન કાર્યકાળમાં નમામિ ગંગે, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સર્વ શિક્ષા અભિયાન, સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી ઘણી અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ ૫ણ શરૂ કરી છે.

નરેન્દ્ર મોદીજી ના મુખ્ય કાર્યો

મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અને તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા કેટલાક નિર્ણયો નીચે મુજબ છે-

ભૂગર્ભ જળ સંરક્ષણ પ્રોજેક્ટ: –

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના શાસન દરમિયાન સરકારે ભૂગર્ભ જળ સંરક્ષણ પ્રોજેક્ટના નિર્માણને ટેકો આપ્યો હતો. આનાથી બીટી કપાસની ખેતી કરવામાં મદદ મળી અને બીટી કપાસનું સૌથી વધુ ઉત્પાદક ગુજરાત બન્યું.

નોટબંધી: –

વડા પ્રધાનના કાર્યકાળમાં મોદીએ નોટબંધી જેવા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધા. જે અંતર્ગત મોદીજીએ 500 અને 1000 ની જૂની નોટો બંધ કરી દીધી અને તેની જગ્યાએ 2000 અને 500ની નવી નોટો શરુ કરી. મોદીજીએ લીધેલ આ એક ઐતિહાસિક નિર્ણય હતો.

જીએસટી: –

નોટબંધી પછી નરેન્દ્ર મોદીજીએ દેશમાં વસૂલવામાં આવતા તમામ વેરાઓને એકીકૃત કરી એક કર જીએસટી એટલે કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ લાગુ કર્યો.

સર્જિકલ સ્ટ્રાઈક: –

વર્ષ 2016 માં ઉરી હુમલા બાદ વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારતીય સેના સાથે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો.

ઉપર આપેલ મુખ્ય કાર્યો સિવાય, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ ની શરૂઆત, ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ વગેરે જેવા અન્ય કેટલાક કામો પણ મોદીજીના ખાતામાં જાય છે.

આ ઉપરાંત વિદેશી રોકાણોના સહયોગથી બુલેટ ટ્રેન ભારતમાં લાવવા જેવા કાર્યોમાં પણ મોદીજીની મહત્વની ભૂમિકા છે. આ બધાની સાથે, મોદીજીએ પડોશી દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા અને વિશ્વના અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા છે.

નરેન્દ્ર મોદીજીને મળેલ પુરસ્કારો અને સિદ્ધિઓ

  • 2007 માં ઈન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા કરાયેલા એક સર્વેમાં મોદીજીનું નામ દેશના સર્વોત્તમ મુખ્યમંત્રી તરીકે આપવામાં આવ્યું હતું.
  • 2009 માં એફડી મેગેઝિન દ્વારા એફડીઆઇ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડના એશિયન વિજેતા તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું.
  • આ પછી માર્ચ 2012 માં પ્રકાશિત ટાઇમ્સ એશિયન આવૃત્તિના કવર પેજ પર મોદીજીનો ફોટો છપાયો હતો.
  • 2014 માં, ફોર્બ્સ મેગેઝિનમાં વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મોદીનું નામ 15 મા ક્રમે હતું. આ જ વર્ષે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વિશ્વના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં ૫ણ મોદીજીનું નામ શામેલ હતું.

  • 2015 માં, બ્લૂમબર્ગ માર્કેટ મેગેઝિનમાં મોદીને વિશ્વના 13 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વર્ષે ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી ઇન્ટરનેટ સૂચિમાં ટ્વિટર અને ફેસબુક પરના 30 સૌથી પ્રભાવશાળી લોકોમાં તેમને બીજા ક્રમના બીજા રાજકારણી તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે.

  • 2014 અને 2016 માં ટાઈમ મેગેઝિનના રીડર સર્વેના વિજેતા તરીકે મોદીજીના નામની ઘોષણા કરવામાં આવી હતી.
  • વર્ષ 2016 માં જ, 3જી એપ્રિલે મોદીજીને સાઉદી અરેબિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને 4 જૂને, અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ૫ણ આપવામાં આવ્યો હતો.

  • વર્ષ 2014, 2015 અને 2017 ના વર્ષોમાં પણ મોદીજીનું નામ ટાઇમ મેગેઝિનના વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ હતું. અને 2015, 2016 અને 2018 માં ફોર્બ્સ મેગેઝિનને વિશ્વના 9 સૌથી શક્તિશાળી લોકોમાં મોદીજીનો સમાવેશ કર્યો

  • 10 ફેબ્રુઆરી 2018 ના રોજ, તેમને વિદેશી મહાનુભાવો માટે પેલેસ્ટાઇનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ”Grand Collar of the State of Palestine’ થી સન્માનિત કરવામાં આવ્યા.
  • 27 સપ્ટેમ્બર 2018 ના રોજ, નરેન્દ્ર મોદીને યુનાઈટેડ નેશનનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન ચેમ્પિયન્સ ઓફ અર્થ થી નવાજવામાં આવ્યા.
  • વર્ષ 2018 માં જ, 24 ઓક્ટોબરે, મોદીજીને આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના યોગદાન બદલ સીઓલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

  • આ વર્ષે 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ, મોદીજીને પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કાર 2018 મળ્યો. અને તે જ સમયે વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના શરૂ કરવા બદલ આ વર્ષે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ માટે મોદીજીનું નામ નિમાયું છે.

  • આ રીતે, મોદીજીએ મુખ્યમંત્રી બન્યા થી લઈને વડાપ્રધાન તરીકેના કાર્યકાળ સુધી તેમના નામે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને તે હજી ૫ણ ચાલુ જ છે.

નરેન્દ્ર મોદીજી વિશે કેટલીક રોચક માહિતી:-

  • બાળ૫ણ મોદીજી ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા, અને તેમણે સૈનિક સ્કૂલમાં દાખલ થવા માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે સૈનિક સ્કૂલમાં પ્રવેશ  મેળવી શક્યા નહીં.
  • 17 વર્ષની ઉંમરે મોદીજીએ ૫ણ ગૃહત્યાગ કર્યો ભારતના વિવિધ ભાગોમાં સંસ્કૃતિની શોધ માં ભ્રમણ કર્યું.
  • વડાપ્રધાન મોદીએ તેમના સત્તાવાર નિવાસને તેમના કુટુંબના કોઈપણ સભ્યો સાથે શેર કર્યો ન હતો.
  • તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમેજ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન પર 3 મહિનાનો કોર્સ કર્યો.
  • મોદીજી સ્વામી વિવેકાનંદજીનો ખૂબ આદર કરે છે, તેઓ તેમના મહાન અનુયાયી છે.
  • બરાક ઓબામા પછી, નરેન્દ્ર મોદી ટ્વિટર પર વિશ્વના બીજા ક્રમના સૌથી વધુ ફોલોઅર્સ ઘરાવતા નેતા છે
  • ૨૦૧૦ માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે ગુજરાત વિશ્વના બીજા શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું.
  • મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષના કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધી ન હતી.
  • નરેન્દ્ર મોદી ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે, જેના કારણે તેમને ભારતના સૌથી ટેક્નો-પ્રેમાળ નેતા માનવામાં આવે છે.
  • મોદીજી હંમેશાં હિન્દી ભાષામાં હસ્તાક્ષર કરે છે.
  • વર્ષ 2016 માં લંડનના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ ખાતે મોદીજીની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે.
  • નરેન્દ્ર મોદીજી ધાર્મિક છે અને તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરે છે.
  • મોદીજી દિવસમાં માત્ર 5 કલાક કે તેથી ઓછા ઉંઘે છે.
  • મોદીજી તેમના ડ્રેસિંગમાં ખૂબ સ્ટાઇલિશ હોવાનું મનાય છે. તે પરંપરાગત ભારતીય પોશાક પસંદ કરે છે.

નરેન્દ્ર મોદીના વિચારો :- 

  1. એકવાર આપણે નક્કી કરી લઈએ કે આપણે કંઇક કરવાનું છે, તો આપણે માઇલો સુઘી આગળ જઈ શકીએ છીએ.
  2. આપણા બધામાં સારા અને ખરાબ બંને ગુણો છે, જે લોક સારા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સફળ થાય છે.
  3. બંદૂકથી તમે પૃથ્વીને લાલ બનાવી શકો છો, પરંતુ જો તમારી પાસે હળ હોય છે તો તમે પૃથ્વીને લીલોતરી બનાવી શકો છો.
  4. દરેકમાં સ્વપ્ન જોવાની શક્તિ હોય છે. પરંતુ સપનાને સંકલ્પમાં બદલવા જોઈએ. કોઈ વિચારને મરવા ન દેવો જોઇએ.
  5. ભારત એક યુવા દેશ છે, આટલી મોટી જનસંખ્યા ધરાવતો દેશ ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.
  6. મંગળ મિશનની સફળતા પછી કોઈ પણ ભારતના યુવાનોને સવાલ કરી શકશે નહીં. દરેક વસ્તુ સ્વદેશી છે.

નરેન્દ્ર મોદીના પુસ્તકો :-

નરેન્દ્ર મોદીજી દ્વારા જયોતિપુંજ, એબોર્ડ ઓફ લવ,  પ્રેમતીર્થ, સામાજિક સમરસતા, સાક્ષીભાવ વિગેરે પુસ્તક લખવામાં આવેલ છે. આ ઉ૫રાંત મોદીજીના જીવન અને કાર્યો ઉ૫ર અન્ય લેખકો દ્વારા ૫ણ અનેક પુસ્તકો લખવામાં આવેલ છે. જેમાં એન્ડી મેરોનોનું નરેન્દ્ર મોદી અ પોલીટીકલ બાયોગ્રાફી, વિવિયન ફર્નાડીસનું મોદી: મેકિંગ ઓફ પ્રાઇમ મિનિસ્ટર, શાસન અને પ્રદર્શન તથા સુદેશ વર્માનું નરેન્દ્ર મોદી: ઘ ગેમ ચેન્જર નો સમાવેશ થાય છે.

તો મિત્રો આ હતી આ૫ણા ગુજરાતી અને લોકલાડીલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન અને કાર્યોની થોડીક ઝાંખી. હજુ તો એવા કેટલાય કામો અને બનાવો છે જેનું વર્ણન અમે લેખિત સ્વરૂપે કરવા માટે અસમર્થ છીએ. આશા રાખુ છે આ૫ને અમારો આ લેખ ખુબ જ ૫સંદ આવ્યો હશે. આવા જ મહાન વ્યકિતઓના જીવનચરિત્રો અને ઘટનાઓ વાંચવા માટે આ૫ અમારા બ્લોગની રોજીંદી મુલાકાત લેતા રેહેશો. નરેન્દ્ર મોદીજીનું જીવનચરિત્ર લેખ આ૫ના મિત્રો સ્વજનો અને વડીલોને વોટસઅ૫, ટ્વિટર અને ફેસબુક જેવા શોસીયલ માધ્યમોથી શેર કરવાનું ભુલતા નહી.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment