મનમોહન સિંહ નું જીવનચરિત્ર | ડો. મનમોહન સિંઘ વિશે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મનમોહન સિંહ ભારતના 14 મા વડાપ્રધાન હતા. તે મહાન ચિંતક, વિદ્વાન અને બુદ્ધિશાળી અર્થશાસ્ત્રી છે. રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય થતાં પહેલાં, તેમણે ઘણી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓમાં કામ કર્યું અને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ ઘણાં સન્માન ૫ણ પ્રદાન કરવામાં આવ્યા. પછીના કેટલાક વર્ષોમાં તેમણે રાજકરણમાં પ્રવેશ મેળવ્યો. તેમના શાસનકાળ દરમિયાન, ભારતની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો થયા. તેમના આવા ઉત્કૃષ્ટ યોગદાનના કારણે તેમને ભારતના આર્થિક નવીકરણના મૂળ નિર્માતા કહેવામાં આવે છે. આ સક્ષમ નેતાએ તેમની નમ્રતા, નૈતિકતા અને નિતિમત્તા માટે નોંધપાત્ર પ્રશંસા મેળવી છે. મનમોહન સિંહની ક્ષમતા અને નેતૃત્વ કુશળતા ભારતીયો દ્વારા સ્વીકારવામાં આવી અને તેઓ સતત બીજી વાર વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.

મનમોહન સિંહ નું જીવનચરિત્ર

નામમનમોહન સિંહ
જન્મ તારીખ26 સપ્ટેમ્બર 1932
જન્મ સ્થળપંજાબ પ્રાંત (હાલના પાકિસ્તાન) માં ગાહમાં
પિતાજીનું નામગુરમુખસિંહ
માતા નું નામઅમૃત કૌર
૫ત્ની નું નામગુરુશરણ કૌર
ર્મ શિખ
વ્યવસાયરાજકારણી, અર્થશાસ્ત્રી
પાર્ટીભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ
અવોર્ડ/પુરુસ્કાર૧૯૮૭  પદ્મ વિભુષણ

પ્રારંભિક જીવન:

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932 માં અખંડ ભારતના પંજાબ પ્રાંત (હાલના પાકિસ્તાન) માં ગાહમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેની માતાનું નામ અમૃત કૌર હતું અને પિતાનું નામ ગુરમુખસિંહ હતું. જયારે મનમોહન સિંહ નાના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું તેથી તેમની દાદીએ તેમને ઉછેર્યા અને સંસ્કારોનું સિંચન કર્યું હતું. નાનપણથી જ તેમને ભણવામાં રસ હતો અને વર્ગમાં હંમેશા પ્રથમ આવતા હતા.

દેશના ભાગલા પછી તેમનો પરિવાર અમૃતસર સ્થળાંતર થઈ ગયો. અહીં તેમણે હિન્દુ કોલેજમાં એડમિશન લીધું. મનમોહનસિંહે પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ૫છી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ગયા જ્યાં તેમણે અનુસ્નાતક સ્તરનું શિક્ષણ પૂર્ણ કર્યું. 

Must Read : રાજા રામમોહનરાય નું જીવનચરિત્ર

મનમોહન સિંહે 1962 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ન્યુફિલ્ડ કોલેજમાંથી ડી.ફિલ કર્યું હતું. 1964 માં, તેમણે  “ઇન્ડિયા એક્સપોર્ટ ટ્રેન્ડ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેનેડ ગ્રોથ” (India’s Export Trends and Prospects for Self-Sustained Growth) પુસ્તક લખ્યું હતું,  ડી.ફિલનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ભારત પરત ફર્યા. તેઓ 1957 થી 1959 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વરિષ્ઠ પ્રવક્તા તરીકે રહ્યા. 1959 અને 1963 દરમિયાન તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વાચક તરીકે સેવા આપી હતી, અને 1963 થી 1965 દરમિયાન, તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. 1987 અને 1990 ની વચ્ચે, તેઓ જીનીવામાં દક્ષિણ કમિશનના મહા સચિવના પદ પર નિમણુંક કરવામાં આવ્યા.

તેમણે 1958 માં ગુરશન કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રી છે – ઉપિન્દર, દમણ અને અમૃત. 1971 માં, તે ભારતીય વહીવટી સેવામાં જોડાયા અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમાયા. આ પછી, તેમણે ભારત સરકારના અનેક વિભાગોમાં ઉચ્ચ પદ પર કામ કર્યું. તેમની નિમણૂક નાણાં મંત્રી, ડેપ્યુટી ચેરમેન, આયોજન મંત્રી, રિઝર્વ બેંકના ગવર્નર, વડા પ્રધાનના સલાહકાર જેવા ઘણા હોદ્દા માટે થઈ હતી. 

દેશની અર્થવ્યવસ્થા  જ્યારે ઘૂંટણો પર આવી ગઇ હતી, ત્યારે પી.વી. નરસિંહરાવને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષ તેમને નવા આર્થિક પ્રયોગો વિરુદ્ધ ચેતવણી આપી રહ્યુ હતુ. પરંતુ શ્રી રાવે મનમોહન સિંહ પર પૂરો વિશ્વાસ રાખ્યો, માત્ર બે વર્ષમાં આ ટીકાકારોના મોઢા બંધ થઈ ગયા. ઉદારીકરણના શ્રેષ્ઠ પરિણામો ભારતીય અર્થવ્યવસ્થામાં દેખાવા લાગ્યા હતા અને આ રીતે અર્થશાસ્ત્રના અધ્યાપક એવા બિન-રાજકારણીએ ભારતીય રાજકારણમાં પ્રવેશ કરી દેશની બગડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી દીઘી.

1991 અને 1996 ની વચ્ચે, પાંચ નાણાં મંત્રીઓએ સંયુક્તપણે આર્થિક મંદીને દૂર કરીને ભારતને પુન:સ્થાપિત કર્યું. તેમણે ભારત માટે આર્થિક યોજના બનાવી જે વિશ્વભરમાં સ્વીકારાય છે. તેમણે કાર્યકાળ દરમિયાન અનેક વિકટ ૫રિસ્થિતિઓથી ભારતને ઉગાર્યુ  છે. 

Must Read : નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર 

મનમોહન સિંહ નું રાજકીય જીવન

1991 માં જ્યારે પી.વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મનમોહનસિંઘને નાણાં પ્રધાન બનાવ્યા. આ સમય દરમિયાન ભારત આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. મનમોહનસિંહે દેશના અર્થતંત્રને નવી દિશા આપી હતી જ્યાંથી દેશ આર્થિક ઉદારીકરણના યુગમાં પ્રવેશ્યો હતો. સૌપ્રથમ, તેમણે પરવાનો રાજ રદ કર્યો, કે જે કાયદા હેઠળ ઉદ્યોગોએ કોઈપણ ફેરફાર કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડતી હતી. આ પગલાથી ખાનગી ઉદ્યોગોને મોટો ફાયદો થયો, જેના પરિણામે સરકારી ઉદ્યોગોમાં વિનિવેશ અને ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ. 1998-2004 સુધી ભાજપ સરકારના શાસન દરમિયાન રાજ્યસભામાં તેઓ વિરોઘ ૫ક્ષના નેતા તરીકે હતા.

વડાપ્રધાન તરીકે

મનમોહન સિંહને 2004 માં લોકસભાની ચૂંટણી જીત્યા ન હોવા છતાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને ભારતના વડાપ્રધાન તરીકે મંજૂરી આપી હતી. તેમની સ્વચ્છ અને પ્રામાણિક છબીને લીધે, તેઓ સામાન્ય લોકોમાં ખૂબ લોકપ્રિય થયા હતા. તેમણે 22 મે 2004 ના રોજ વડાપ્રઘાન પદના શપથ લીધા. મનમોહનસિંહે નાણાં પ્રધાન પી.ચિદમ્બરમના સહયોગથી વેપાર અને અર્થતંત્રના વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેમાં કામ કર્યું હતું. વર્ષ 2007 માં ભારતનો જીડીપી 9% થઇ ગયો અને ભારત વિશ્વની બીજી સૌથી મોટી વિકાસશીલ અર્થવ્યવસ્થા બની. તેમના નેતૃત્વ હેઠળ, ગ્રામીણ નાગરિકોની સુવિધાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યની વિશ્વભરના લોકોએ પ્રશંસા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સુધારા કરવામાં આવ્યા.

સરકારે પછાત જાતિના લોકો અને સમાજના લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો. જોકે કેટલાક પક્ષોએ અનામત બિલનો વિરોધ કર્યો હતો અને લાયક વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. મનમોહન સિંઘ સરકારે આતંકવાદને ખતમ કરવા માટે ઘણા કાયદા પસાર કર્યા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ની રચના 2008 ના મુંબઈ આતંકી હુમલા પછી કરવામાં આવી હતી. 

ઈ-ગવર્નન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રચના વર્ષ 2009 માં કરવામાં આવી હતી, જે અંતર્ગત લોકોને બહુહેતુક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમના શાસનકાળમાં સરકારે જુદા જુદા દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. મનમોહનસિંહે ચીન સાથેના સરહદ વિવાદ અને કાશ્મીરમાં આતંકવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. વિપક્ષ દ્વારા વિવાદિત ભારત-યુએસ પરમાણુ કરારનો બહિષ્કાર કરવા છતાં સરકારે આ સમજોતા ૫ર હસ્તાક્ષર કર્યા હતા.

Must Read : સુભાષચંદ્ર બોઝ નું જીવનચરિત્ર

15 મી લોકસભાના પરિણામો યુપીએ માટે ખૂબ જ સકારાત્મક રહ્યા અને 22 મે 2009 ના રોજ મનમોહન સિંઘ ફરી એકવાર ભારતના વડા પ્રધાન તરીકે ચૂંટાયા. જવાહરલાલ નેહરુ પછી મનમોહન સિંહ એકમાત્ર વડાપ્રધાન હતા, જેઓ પદના 5 વર્ષ પૂર્ણ કર્યા પછી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.

એવોર્ડ અને સન્માન

  1. 1982 માં સેન્ટ જોસ કોલેજ, કેમ્બ્રિજે મનમોહન સિંઘને માનદ સભ્યપદ આપ્યું.
  2. 1987 માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા.
  3. 1994 માં, તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના પ્રતિષ્ઠિત ફેલોથી નવાજવામાં આવ્યા.
  4. 1999 માં, ડો.મનમોહનસિંઘને રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંસ્થા નવી દિલ્લી દ્વારા સભ્યપદ આપવામાં આવ્યું.
  5. ભારતીય સંસદ જૂથ દ્વારા તેમને 2002 માં શ્રેષ્ઠ સંસદીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
  6. 2010 માં, તેમને એક ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ સ્ટેટમેન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ ૫ણ વાંચો:-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો મનમોહન સિંહ નું જીવનચરિત્ર (manmohan singh biography in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. વિઘાર્થી મિત્રોને મનમોહન સિંહ વિશે નિબંધ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment