મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય, ઇતિહાસ, કૃતિઓ | Mahakavi Kalidas in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે.

તેમણે ભારતની પૌરાણિક કથા અને તત્વજ્ઞાનને આધાર ગણીને સુંદર, સરળ અને અલંકૃત ભાષામાં પોતાના સર્જનો બનાવ્યા અને તેમના સર્જનો દ્વારા ભારતને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો. તેઓની કૃતિઓમાં શ્રૃૃૃૃ રસથી ભરપુર છે. જો આ કૃતિ એક વાર વાંચશે તો તેની અનુભૂતિ આપોઆપ થઇ જશે. તેમણે તેમના સાહિત્યમાં આદર્શવાદી અને નૈતિક મૂલ્યોનું વિશેષ ધ્યાન રાખ્યું છે. તેમની કૃતિઓ ઘણી ભાષાઓમાં પ્રકાશિત થઈ છે.

ચાલો આજે આપણે પ્રખર વિદ્વાન મહાકવિ કાલિદાસના જીવન પરિચય- જન્મ, લગ્ન, પરિવાર, ઇતિહાસ અને કૃતિઓ વિશે વિશેષ માહિતી મેળવીએ.

મહાકવિ કાલિદાસ જીવન પરિચય (Mahakavi Kalidas Biography in Gujarati)

નામઃકાલિદાસ 
જન્મઃઆશરે ઇ.પૂ. ૧લી થી ઇસ. ૫મી સદી
જન્મ સ્થળઃનિશ્ચત થઇ શકયુ નથી.
પત્નીનું નામઃ રાજકુમારી વિદ્યોત્તમા 
વ્યવસાયઃસંસ્કૃત કવિ, નાટ્યકાર અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા
ઉપાધિઃમહાકવિ
પ્રસિધ્ધ કૃતિઓઃઅભિજ્ઞાન શાંકુતલમ્, રઘુવંશમ્, મેઘદૂત, વિક્રમોર્વશીય અને કુમારસંભવ
મૃત્ત્યુઃજન્મની જેમ મૃત્યુનો સમય પણ ચોકકસ જાણી શકાયેલ નથી. (ઇ.પૂ. ૧લી થી ઇસ. ૫મી સદી)

મહાકવિ કાલિદાસનો જન્મઃ-

કાલિદાસના જન્મ અંગે કોઈ ઠોસ નક્કર પુરાવા અને માહિતી કે કોઈ દસ્તાવેજ મળી આવેલ નથી. તેમના જન્મ અંગે ઘણા વિદ્વાનો અલગ અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક વિદ્વાનો કાલિદાસનોના જન્મ ઇ.સ. પૂર્વ ૧૫૦ થી ઇ.સ. ૪૦૦ની વચ્ચે થયો હોવાનું માને છે. કેટલાક વિદ્વાનોના મતે ગુપ્તકાળનો સમય તેમનો જન્મ ગણાય છે. કારણ કે અગ્નિમિત્રનું વર્ણન કાલિદાસના નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં જોવા મળે છે. જેઓ ઇ.સ. પૂર્વે 170ના શાસક હતા. વાગભટ્ટના ‘હર્ષચરિતમ’માં બીજા કાલિદાસનો ઉલ્લેખ જોવા મળે છે. જે છઠ્ઠી સદીની રચના છે. તેથી, આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લેતા, કાલિદાસનો જન્મ સમય ઇ.સ. પૂર્વે 1લી સદી અને પૂર્વે ત્રીજી સદી વચ્ચેનો માનવામાં આવે છે.

કાલિદાસના જન્મ સ્થળને લઈને પણ ઘણા વિદ્વાનો અને ઈતિહાસકારોના મતમતાંર જોવા મળેગ છે. કાલિદાસે તેમની કવિતા મેઘદૂતમાં ઉજ્જૈન શહેરનો ઉલ્લેખ કર્યો છે. જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. તેથી જ કેટલાક ઈતિહાસકારો અને વિદ્વાનો તેમનું જન્મસ્થળ ઉજ્જૈન હોવાનો મત ધરાવે છે. તો વળી કેટલાક ઈતિહાસકારો માને છે કે કાલિદાસનો જન્મ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના કવિલ્કા ગામમાં થયો હતો. સરકાર દ્વારા અહીં કાલિદાસની પ્રતિમા અને ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે.

કલાદાસના વિવાહ(લગ્ન):

કાલિદાસના લગ્ન સંયોગથી રાજકુમારી વિદ્યોત્મા સાથે થયા હતા. એવું કહેવાય છે કે રાજકુમારી વિદ્યોત્માને પોતાના જ્ઞાન અને બુદ્ધિમત્તા પર ખૂબ ઘમંડ હતો. તેથી તેણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ તેમને વાદ-વિવાદમાં હરાવી દેશે તેની સાથે તે લગ્ન કરશે.

વિદ્યોત્મા સાથે લગ્ન કરવા માંગતા ઘણા વિદ્વાનો વાદ-વિવાદમાં વિદ્યોત્માથી હારી ગયા તેથી કેટલાક વિદ્વાનો તેમની હારનો બદલો લેવા માટે વિદ્યોત્માના લગ્ગ્નથે કોઇ મુર્ખ વ્યકિત સાથે કરાવવા માંગતા હતા. જેથી બધા વિદ્વાનો ભેગા મળીને અજ્ઞાની મૂર્ખને શોધતા હતા.

એવામાં તેમણે કાલિદાસને જોયા, જેઓ એક ઝાડની એ જ ડાળી કાપી રહ્યા હતા કે જેના પર તેઓ બેઠા હતા. આ દ્ર્ર્રષ્ય જોઇ બધાને લાગ્યું કે આનાથી વધુ મૂર્ખ આ દુનિયામાં કોઈ નહીં હોય. તેથી કાલિદાસને તેઓ વિદ્યોત્મા પાસે લઈ ગયા અને કહ્યું કે કાલિદાસ આમારા ગુરુ મહારાજ છે. જેઓએ આજે ​​મૌન પાળ્યું છે. જેથી તમે તેમની સાથે મૌન શબ્દાવલી સાંકેતિક ભાષામાં ચર્ચા કરી શકો છો.

જ્યારે વિદ્યોત્મા કાલિદાસને હાવભાવથી મૌન શબ્દોમાં પ્રશ્નો પૂછતી ત્યારે કાલિદાસ પણ સાંકેતિક ભાષામાં જવાબ આપતા. જેના માટે ત્યાં હાજર તમામ વિદ્વાનોએ સાચી દલીલો આપીને વિદ્યોત્માને તે પ્રશ્નનો જવાબ સમજાવી દેતા.

વિદ્યોત્માને લાગ્યું કે કાલિદાસ કોઈ રહસ્યમય પ્રશ્નનો ભેદી જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, જ્યારે વિદ્યોત્માએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ બતાવ્યો ત્યારે કાલિદાસને લાગ્યું કે તે થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. તેથી જ તેમણે જવાબમાં પોતાની મુઠ્ઠી બતાવી, તો વિદ્યોત્માને લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચ ઇન્દ્રિયો ભલે જુદી હોય, બધા એક જ મનથી ચાલે છે. તેનાથી પ્રભાવિત થઈને રાજકુમારી વિદ્યોત્મા કાલિદાસ સાથે લગ્ન કરવા સંમત થઈ અને તેમને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા.

થોડાક દિવસો પછી જયારે વિદ્યોત્માને ખબર પડી કે કાલિદાસ એક મંદબુદ્ધિ અને મૂર્ખ વ્યક્તિ છે. તો તેણીએ કાલિદાસને ધિક્કારીને ઘરની બહાર કાઢી મૂક્યા.,અને કહ્યું કેઘ જ્યાં સુધી તમે પંડિત ન બનો ત્યાં સુધી ઘરે પાછા આવશો નહીં. તેમની પત્નીથી અલગ થયા પછી, કાલિદાસે નક્કી કર્યું કે જ્યાં સુધી તેઓ વિદ્વાન પંડિત ન બને ત્યાં સુધી તેઓ ઘરે પાછા નહીં ફરે. આ નિશ્ચય સાથે તેમણે ઘર છોડી દીધું અને મા કાલીના ઉપાસક બની ગયા.

મા કાલીના આશીર્વાદથી તેઓ સાહિત્યના ઉચ્ચ જ્ઞાની અને વિદ્વાન બન્યા. જે બાદ તેઓ ઘરે પરત ફર્યો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજેથી તેમની પત્નીને આવાજ આપ્યો, ત્યારે વિદ્યોત્મા આ અવાજ સાંભળીને જ જાણી ગઇ કે તેમના દરવાજે આજે કોઇક ઉચ્ચ જ્ઞાની વ્યક્તિ આવ્યો છે.

આ રીતે પત્ની દ્વારા અપમાનીત થયા પછી તેમણે કાલીમાતાની ઉપાસના કરી પરમ જ્ઞાન મળ્યું અને તેઓ મહાન કવિ બન્યા. આજે તેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ કવિઓમાં થઈ રહી છે, એટલું જ નહીં, સંસ્કૃતિ સાહિત્યમાં કાલિદાસ જેવો બીજો કોઈ કવિ હજુ સુધી જન્મ્યો નથી.

મહાકવિ કાલિદાસની રચનાઓઃ

મહાકવિ કાલિદાસ દ્વારા તેમની દૂરંદેશી વિચારસરણી અને અજોડ બુદ્ધિમત્તાથી લખાયેલી રચનાઓને કારણે તેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ કવિઓ અને નાટ્યકારોમાં થાય છે.

તેમની કૃતિઓ સાહિત્યિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેમની રચનાઓની લાંબી યાદી છે, પરંતુ કાલિદાસને તેમની 7 રચનાઓને કારણે સૌથી વધુ ખ્યાતિ મળી છે, તે રચનાઓ નીચે મુજબ છે-

  • ચાર કાવ્ય રચનાઓ પ્રખ્યાત છે:
  • મહાકાવ્ય – રઘુવંશમ્, કુમારસંભવમ્.
  • ખંડ કાવ્ય- મેઘદૂતમ્, ઋતુસંહારમ્.
  • ત્રણ નાટકો પ્રખ્યાત છે:
  • અભિજ્ઞાન શાકુંતલમ્
  • માલ્વિકાગ્નિમિત્રમ્
  • વિક્રમોવર્શિયમ્

આ રચનાઓને કારણે તેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ અને મહાન કવિ તરીકે ઓળખાયા. વાચકો તેમની સુંદર ભાષા, પ્રેમની અભિવ્યક્તિ અને પ્રકૃતિના નિરૂપણથી મંત્રમુગ્ધ અને લાગણીશીલ બની જાય છે. કાલિદાસની કૃતિઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે –

અભિજ્ઞાનશાકુંતલમ્-નાટકઃ

મહાકવિ કાલિદાસજીનું આ નાટક ખૂબ જ પ્રખ્યાત છે. જેનો લગભગ વિશ્વની દરેક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. અંગ્રેજી અને જર્મન ભાષામાં પણ આ રચનાનો અનુવાદ કરવા માં આવ્યો છે.આ નાટક મહાભારતના આદિપર્વની શકુંતલાના વ્યાખ્યાયન પર આધારિત છે, જેમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા વર્ણવવામાં આવી છે. આ નાટકના કુલ 7 અંકો છે.

મહાકવિ કાલિદાસે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમમાં વર્ણવેલી સ્ટોરી મહાભારતમાં વર્ણવેલી સ્ટોરી કરતાં કંઈક અલગ છે. કાલિદાસે વાર્તામાં કેટલીક અન્ય ઘટનાઓ ઉમેરીને તેને રોમાંચક અને રસપ્રદ બનાવી છે.

રાજા દુષ્યંતના ઋષિ કણ્વના આશ્રમમાં આવવાથી લઈને શકુંતલા સાથેના ગાંધર્વ લગ્ન સુધીની વાર્તા મહાભારત જેવી જ છે. આ વાર્તામાં, રાજા દુષ્યંત તેની શાહી વીંટી સ્મૃતિ ચિહ્ન તરીકે વિદાય લેતી વખતે શકુંતલાને આપે છે અને કહે છે કે તેઓ જલ્દી જ તેને લેવા માટે તેની ચતુરંગી સેના મોકલશે. દુષ્યંતના ગયા પછી શકુંતલા રાજાના વિચારોમાં ખોવાયેલી રહે છે.

એક દિવસ દુર્વાશા ઋષિ આશ્રમમાં આવે છે. ત્યારે રાજા દુષ્યંતના વિચારોમાં ખોવાયેલી શકુંતલા દ્વારા દુર્વાશા ઋષિને યોગ્ય માન આપી શકાતુ નથી. આ અવગણનાથી ગુસ્સે થઈને ઋષિ દુર્વાસાએ શકુંતલાને શ્રાપ આપ્યો કે તે જેની યાદોથી તમે મને યોગ્ય સન્માન આપ્યું નથી તે તેને ભૂલી જશે. આ શ્રાપને કારણે આશ્રમના તમામ રહેવાસીઓ ડરી જાય છે અને દુર્વાસા ઋષિની માફી માંગે છે અને શકુંતલા પણ પોતાની ભૂલ માટે માફી માંગે છે.

દુર્વાશા કહે છે કે ઋષિનો શ્રાપ પાછો લઈ શકાતો નથી પણ તેની અસરને ઘટાડી શકાય છે. જો તે રાજાને તેના દ્વારા યાદ સ્વરૂપે આપવામાં આવેલી વીંટી બતાવશે તો તે તમને ઓળખી જશે. પ્રથમ મિલનમાં જ શકુંતલા રાજા દુષ્યંત વડે ગર્ભવતી થઇ જાય છે. અને થોડાક સમય પછી તે એક પુત્રને જન્મ આપે છે.

હવે શકુંતલા તેના પુત્ર સાથે અને આશ્રમ છોડી ઋષિ કણ્વના આશીર્વાદ લઇ તેના પતિ રાજા દુષ્યંતને મળવા જાય છે. માર્ગમાં, ગંગા નદી પાર કરવા માટે હોડીમાં સવારી કરતી વખતે દુર્ભાગ્યવશ રાજાએ આપેલી વીંટી તેની આંગળીમાંથી પડીને પાણીમાં પડી જાય છે. રાજા દુષ્યંતની રાજધાની પહોંચ્યા પછી શકુંતલા તેના પુત્ર સાથે રાજાના મહેલમાં તેને મળવા જાય છે અને તેને કહે છે કે હે રાજા, તમે મારી સાથે ગાંધર્વના લગ્ન કર્યા છે અને મારી સાથેનું આ બાળક તમારો પુત્ર છે અને તમારા વચન મુજબ તમે તેને લઈ જાઓ. તમારા આશ્રય હેઠળ અને તેને તમારા રાજ્યનો રાજકુમાર જાહેર કરો.

ઋષિ દુર્વાસાના શ્રાપને લીધે, રાજા દુષ્યંતને કંઈપણ યાદ રહેતુ નથી. તેથી તે શકુંતલાને તેમના લગ્નની કોઇ નિશાની હોય તો તે બતાવવાનું કહે છે. શકુંતલા હાથ ઊંચો કરીને વીંટી બતાવવાની કોશીશ કરે છે પરંતુ એમાં રાજાએ આપેલી વીંટી હોતી નથી. આ કારણે શકુંતલાને બધાની સામે ખૂબ જ શરમ અનુભવવી પડે છે અને તે રાજ્યસભા છોડીને પોતાના પુત્ર સાથે કણ્વ આશ્રમ પરત આવે છે.

મહાકવિ કાલિદાસની રચના અનુસાર, ગંગા નદીમાં એક મોટી માછલી પકડ્યા પછી, જ્યારે એક માછીમાર તેને કાપતો હતો, ત્યારે તેને માછલીના પેટમાંથી સોનાની વીંટી મળી. તેના સાથીઓને પૂછવા પર તેને ખબર પડી કે આ વીંટી રાજાની છે. જ્યારે ત્યાં હાજર રાજાના સૈનિકોને આ વાતની જાણ થઈ તો તેઓ તેને પકડીને રાજા દુષ્યંત પાસે લઈ ગયા. જ્યારે રાજા આ વીંટી જુએ છે, ત્યારે તેને બધું જ યાદ આવી જાય છે અને માછીમારને ઘણું મોટુ ઈનામ આપીને વિદાય કરે છે.

જ્યારે રાજાની સ્મૃતિ પાછી આવે છે, ત્યારે રાજા ખૂબ ગુસ્સે થાય છે અને તે તેની સેના લઇને શકુંતલાની શોધમાં નીકળે છે. કણ્વ આશ્રમ પાસે રાજાએ એક બાળકને જોયો જે સિંહના બચ્ચાનું મોં ખોલીને સિંહના દાંત ગણી રહ્યો હતો. જ્યારે રાજા દ્વારા પૂછવામાં આવે છે, ત્યારે તે કહે છે કે તે શકુંતલાનો પુત્ર છે અને રાજાને આશ્રમમાં લઈ જાય છે, જ્યાં રાજા દુષ્યંત શકુંતલાને મળે છે. રાજા દુષ્યંત તેની પત્ની શકુંતલા અને પુત્ર સાથે તેની રાજધાની પરત ફરે છે અને તેના પુત્રને રાજકુમાર તરીકે જાહેર કરે છે. દુષ્યંત – શકુંતલાનો આ પુત્ર “ભારત” તરીકે ઓળખાય છે.

આ રાજા ભારતે આ વિશાળ ભૂમિને એક કરીને વર્ષો સુધી શાસન કર્યું તેથી આ ચક્રવર્તી સમ્રાટના નામે આ દેશને “ભારતવર્ષ” નામ મળ્યુ.

આ પણ વાંચો:-

  1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
  2. સંત કબીર સાહેબનો પરિચય
  3. સંત તુકારામનું જીવનચરિત્ર
  4. નરસિંહ મહેતા વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો મહાકવિ કાલિદાસના જીવન પરિચય- જન્મ, લગ્ન, પરિવાર, ઇતિહાસ અને કૃતિઓ વિશે માહિતી (Mahakavi Kalidas in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment