રામાયણ ના પાત્રો ના નામ | Ramayan na Patro na Name in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આપણે રામાયણ વિશે ઘણું સાંભળ્યું છે અને સીરિયલમાં પણ જોયું છે.પરંતુ શું તમે રામાયણ ના પાત્રો ના નામ અને તેમના કાર્યો વિશે જાણો છો. આપણે રામાયણના મુખ્ય પાત્ર વિશે જાણવું જોઈએ અને તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ. રામાયણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પાત્રો કોણ છે. તો ચાલો આજના લેખમાં આ વિષયની ચર્ચા કરીએ.

Table of Contents

રામાયણ ના પાત્રો ના નામ (Ramayan na Patro na Name in Gujarati)

1. રાજા દશરથ: (વચન પ્રત્યે સમર્પિત)

અયોધ્યાના રઘુવંશી (સૂર્યવંશી) કુળના મહાન પ્રતાપી રાજા. તેમની ઈન્દ્ર સાથે પણ મૈત્રતાા હતી. તેઓ ઇક્ષ્વાકુ વંશના મહાન રાજા અજા અને ઇન્વદુમતીના પુત્ર હતા. રાજા દશરથનું પાત્ર આદર્શ રાજા, તેમના પુત્રો માટે પ્રેમાળ પિતા અને તેમના વચન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત માણસને દર્શાવે છે.

2. રાજા જનક (રાજા હોવા છતાં ઋષિ જેવું જીવન)

રાજા જનકનું સાચું નામ સિર્ધ્વજ હતું. તેઓ જનકપુરના રાજા હતા. રાજા હોવા છતાં પણ તેઓ ઋષિમુનિઓ જેવુ જીવન જીવતા હતા. તેથી તેમને ‘વિદેહ’ પણ કહેવામાં આવતા હતા.

તેમની બે પુત્રીઓ સીતા અને ઉર્મિલા હતી. જેમના લગ્ન રામ અને લક્ષ્મણ સાથે થયા હતા. તેમના ભાઈનું નામ કુશધ્વજ હતું, જેને માંડવી અને શ્રુતિકીર્તિ નામની બે પુત્રીઓ હતી. જેમણે ભરત અને શત્રુઘ્ન સાથે લગ્ન કર્યા હતા.

3. ભગવાન શ્રી રામ (મર્યાદા પુરુષોત્તમ)

રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર ગણાય છે. તેઓ શ્રીરામ અથવા શ્રીરામચંદ્રના નામથી પણ ઓળખાય છે. રામાયણ અનુસાર, અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથે પુત્રની ઈચ્છા પ્રાપ્તી માટે યજ્ઞ કર્યો, જેના ફળ સ્વરૂપે તેમના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો. શ્રી રામનો જન્મ અયોધ્યામાં દેવી કૌશલ્યાના ગર્ભથી થયો હતો. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ શ્રી રામ જયંતિ અથવા રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

શ્રીરામ ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા. શ્રી રામના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા. જેનાથી તેમને ‘લવ અને કુશ’ નામના બે પુત્રો થયા હતા.

ભગવાન શ્રીરામે તેમના પિતા દ્વારા આપવામાં આવેલ વચનને પૂર્ણ કરવા માટે પત્ની સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. જ્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આખરે રામે રાવણનો વધ કરીને સીતાને પરત લાવ્યા હતા.

4. સીતા (અસાધારણ પવિત્રતા)

દેવી સીતા મિથિલા નરેશ રાજા જનકની સૌથી મોટી પુત્રી હતી. તેઓ પૃથ્વીના પેેેેેેેેેટાળમાંથી જન્મ્યા હોવાનું કહેવાય છે. ત્રેતાયુગમાં તેમને સૌભાગ્યની દેવી લક્ષ્મીનો અવતાર કહેવાય છે.

સ્વયંવરમાં શિવનું ધનુષ્ય તોડ્યા પછી તેમના લગ્ન અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામ સાથે થયા હતા.

5. લક્ષ્મણ (ભગવાન શ્રીરામ પ્રત્યે વફાદાર)

લક્ષ્મણ રાજા દશરથના ત્રીજા પુત્ર હતા, તેમનો જન્મ માતા સુમિત્રાની કુખે થયો હતો. લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. લક્ષ્મણ દરેક કળામાં નિપુણ હતા, પછી તે કુસ્તી હોય કે ધર્નુવીધા (તિરંદાજી).

તેઓ મોટાભાઇ ભગવાન શ્રીરામને અનહદ પ્રેમ કરતા હતા. તેમણે પોતાનું આખુ જીવન ભગવાન શ્રી રામની સેવામાં વિતાવ્યું અને જીવનભર પડછાયાની જેમ તેમની સેવામાં વ્યસ્ત રહ્યા. તેમના અન્ય ભાઈઓ ભરત અને શત્રુગ્ન હતા. તેમને રામ અને સીતા સાથે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. તેની પત્નીનું નામ ઉર્મિલા હતી.

6. ભરત (ભાતૃપ્રેમની જીવંત મૂર્તિ)

ભરત રાજા દશરથ અને કૈકેયીના પુત્ર હતા. તેમની ભાતૃપ્રેમની જીવંત મૂર્તિ માનવામાં આવે છે. આજે પણ જયારે આદર્શની ભાઇની વાત આવે તો ભરતનું નામ ખૂબ ગૌરવ સાથે લેવાય છે, એક કહેવત છે કે “ભાઇ હોય તો ભરત જેવો” . નંદીગ્રામમાં તપસ્વી જીવન જીવતા તેઓ ચૌદ વર્ષ સુધી શ્રી રામના આગમનની રાહ જોતા રહ્યા. અને રાજા હોવા છતાં ભગવાન રામની પાદુકાઓ રાજા સ્વરૂપમાં રાખી ૧૪ વર્ષ એક સેવકની જેમ રાજ સંભાળ્યુ.

ભરતના લગ્ન માંડવી સાથે થયા હતા, જેનાથી તેમને તક્ષ અને પુષ્કલ નામના બે પુત્રો થયા હતા.

7. શત્રુઘ્ન

રાજા દશરથ અને સુમિત્રાનો પુત્ર, રામનો સૌથી નાનો ભાઈ. જે રીતે લક્ષ્મણ રામના પડછાયાની જેમ તેમની સેવામાં વ્યસ્ત રહ્યા. એ જ રીતે શત્રુઘ્ન ભરતની સેવામાં વ્યસ્ત રહેતા. જ્યારે રામરાજની સ્થાપના થઈ ત્યારે તેમણે ઘણા રાજાઓને હરાવ્યા અને મથુરાના દુષ્ટ રાજા લવણાસુરનો વધ કર્યો હતો.

8. ઉર્મિલા (ત્યાગ અને સમર્પણ દેવી)

ઉર્મિલા જનકપુરના રાજા જનક અને રાણી સુનયનાની પુત્રી હતી, તે દેવી સીતાની નાની બહેન અને લક્ષ્મણની પત્ની હતી. લક્ષ્મણ અને ઉર્મિતાને ‘અંગદ અને ચંદ્રકેતુ’ નામના બે પુત્રો હતા. ભગવાન શ્રીરામને ૧૪ વર્ષનનો વનવાસ મળતાં લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા હતા, ત્યારે આ મહાન નારીએ ૧૪ વર્ષ પતિના વિયોગમાં વિતાવ્યા અને માતા કોશલ્યાની સેવા કરી હતી.

9. શ્રુતકીર્તિ (શત્રુઘ્નની પત્ની)

શ્રુતકીર્તિ રાજા કુશધ્વજની પુત્રી હતી, શ્રુતકીર્તિના લગ્ન ભગવાન શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્ન સાથે થયા હતા. તેમને શત્રુઘતિ અને સુબાહુ નામના બે પુત્રો હતા. કુશધ્વજ મિથિલાના રાજા નિમીના પુત્ર અને રાજા જનકના નાના ભાઈ હતા

10. મંથરા (જેના કારણે રામ વનવાસ ગયા)

મંથરા અયોધ્યાના રાજા દશરથની રાણી કૈકેયીની પ્રિય દાસી હતી. શારીરિક ખામીને કારણે તે જીવનભર અપરિણીત રહી હતી. જ્યારે કૈકેયીના લગ્ન થયા ત્યારે તે કૈકેયી સાથે અયોધ્યા આવી.

તેણીએ રાણી કૈકેયીને રામ વિરુદ્ધ ભડકાવી રાજા દશરથ પાસેથી રામને ૧૪ વરસનો વનવાસ અને ભરતને રાજગાદી નું વરદાન માંગાવ્યુ હતુ. જેના કારણે રાજા ભરતે તેને ૧૪ વરસ સુધી કાળ કોટડીમાં બંધ કરી સજા આપી હતી. બાદમાં ભગવાન શ્રી રામ વનવાસ પુુુર્ણ કરી પરત ભરતાં તેને મુકત કરી હતી.

રાવણ કુળનું મુખ્ય અમર પાત્ર (Ravankul na Ramayan na Patro na Name in Gujarati)

11. રાવણ (ભગવાન શિવનો મહાન ભક્ત)

રાવણ રામાયણનું મુખ્ય પાત્ર છે. રાવણ લંકા (હાલનું શ્રીલંકા) ના રાજા હતા. તે તેના દસ માથા માટે પણ જાણીતો હતો. જેના કારણે તેનું નામ દશાનન પડ્યું હતુ.

રાવણ પુલસ્ત્ય ઋષિનો પૌત્ર અને વિશ્રવાનો પુત્ર હતો. ઋષિ વિશ્રવાને ત્રણ પત્નીઓ હતી – પુષ્પોત્કટા, રાકા અને માલિની. રાવણ પુષ્પોત્કટા (કેકસી)નો પુત્ર હતો. મહાભારતની દંતકથા અનુસાર, રાવણને કુંભકર્ણ નામે એક ભાઈ અને એક કુંભીનાસી નામે બહેન હતી. માલિનીની કુખે વિભિષણ, રાકાની કુખે ખર અને શૂર્પણખાનો જન્મ થયો હતો.

જ્યારે કુર્મ પુરાણ અનુસાર, વિશ્રવા દેવવર્ણિનીથી વૈશ્રવણ, કેકસીથી રાવણ, કુંભકર્ણ, શૂર્પણખા અને વિભીષણને જન્મ આપ્યો હતો.

રાવણ શિવનો મહાન ભક્ત, એક મહાન વિદ્વાન, ગૌરવશાળી રાજા, પરાક્રમી યોદ્ધા, સૌથી શક્તિશાળી શાસ્ત્રોનો ગહન જાણકાર, મહાન વિદ્વાન અને મહાન ઋષિ હતો.

રાવણના શાસન દરમિયાન લંકાની યશકીર્તી અને ભવ ચરમસીમાએ હત. તેણે પોતાનો મહેલ સોનાથી બનાવ્યો હતો, તેથી લંકનગરીને સોનાની નગરી પણ કહેવામાં આવતી. રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા.

12. મંદોદરી (રાવણની પત્ની)

મંદોદરી મેયદાનવની પુત્રી હતી.મંદોદરી રામાયણની પાંચ પુત્રીઓમાંની એક છે, જેને ચિર-કુમારી કહેવામાં આવે છે. મંદોદરીના લગ્ન લંકાપતિ રાવણ સાથે થયા હતા.

મંદોદરી એક સદાચારી અને પતિવ્રતા નારીહતી, તે હંમેશા રાવણને ખરાબ માર્ગ છોડીને સત્યનો માર્ગ અપનાવવા સલાહ આપતી હતી. પરંતુ પોતાની શક્તિ પર ઘમંડ હોવાના કારણે રાવણે ક્યારેય મંદોદરીની વાતને ગંભીરતાથી  લીધી નહોતી.

13. કુંભકર્ણ (રાવણનો ભાઇ)

કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ હતો. જેને ભગવાન શ્રીરામે યુદ્ધમાં માર્યો હતો. તે વિશ્રવા અને રાક્ષસી કેેેેકસીનો પુત્ર હતો.

કુંભ અર્થાત ઘડો અને કર્ણ એટલે કાન. નાનપણથી જ મોટા કાન હોવાને કારણે તેનું નામ કુંભકર્ણ પડ્યું હતુ. તે શૂર્પણખાના મોટા ભાઈ હતા. નાનપણથી જ તેની અંદર અપાર શક્તિ રહેલી હતી, એક આખુ શહેર જમી લે એટલું બધું તે માત્ર એક જ ટાણે ખાઈ લેતો હતો.

14. વિભીષણ (રાવણના રામભક્ત ભાઈ)

વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો. વિભીષણની પત્નીનું નામ સરમા અને પુત્રીનું નામ ત્રિજટા હતું. વિભીષણ રામના ભક્ત હતા. તેમણે લંકામાં રહીને પણ રામ ભકિત કરી હતી. તેઓ રાવણ પણ યુધ્ધ છોડીને રામના શરણમાં જવાની સલાહ આપતા હતા.

તેમની રામભકિતના કારણે રાવણે તેમને લંકામાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ તેઓ ભગવાન શ્રીરામને મળ્યા અને ભગવાન શ્રીમને યુધ્ધમાં મદદ કરી અને રાવણના મૃત્યુ પછી લંકાના રાજા બન્યા.

15. મેઘનાદ (ઈન્દ્રજિત- ઈન્દ્રને હરાવનાર)

મેઘનાદ અથવા ઈન્દ્રજિત રાવણના પુત્ર હતા. ઈન્દ્રને હરાવવાના કારણે જ ભગવાન બ્રહ્માએ તેનું નામ ઈન્દ્રજિત રાખ્યું હતું. મેઘનાદ તેના પિતાનો ભક્ત પુત્ર હતો. રામ સ્વયં ભગવાન છે એ જાણ્યા પછી પણ તેણે પિતાનો સાથ ન છોડ્યો.

જ્યારે તેની માતા મંદોદરીએ તેને કહ્યું કે માણસ એકલો મુક્તિ તરફ જાય છે, ત્યારે તેણે કહ્યું કે જો પિતાનો અસ્વીકાર કરીને, મને સ્વર્ગ મળે તો પણ હું તેનો અસ્વીકાર કરીશ.રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણે તેનો વધ કર્યો હતો.

16. શૂર્પણખા (રાવણનો વાહક)

શૂર્પણખા રાવણની બહેન હતી. તેણીનું નામ શૂર્પણખા રાખવામાં આવ્યું કારણ કે તે સૂપ જેવા નખની માલિક હતી. વાલ્મીકિ રામાયણ મુજબ, જ્યારે રામ અને લક્ષ્મણે શૂર્પણખાની તેની સાથે લગ્ન કરવાની વિનંતીને નકારી કાઢી, ત્યારે તે ગુસ્સામાં આવીને સીતા પર હુમલો કરવા દોડી ગઈ.

આના કારણે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. અપમાનિત થઈને તે તેના ભાઈ રાવણ પાસે ગઈ અને રાવણે આ અપમાનનો બદલો લેવાનું વચન આપ્યુ, રાવણે સીતાનું હરણ કર્યુ જેના કારણે રામ-રાવણ યુદ્ધ થયું.

17.તડકા (100 હાથીઓનું બળ)

તે સુકેતુની પુત્રી હતી જેના લગ્ન સુદ નામના રાક્ષસ સાથે થયા હતા. તે પોતાના પતિ અને બે પુત્રો ‘સુબાહુ અને મારીચ’ સાથે અયોધ્યા નજીકના સુંદર જંગલમાં રહેતી હતી.

વિશ્વામિત્ર સહિત અનેક ઋષિઓ પણ આ જંગલમાં રહેતા હતા. આ રાક્ષસો તેના જપ, તપ અને યજ્ઞમાં હંમેશા અવરોધો ઉભો કરતા હતા. તડકાના પ્રકોપને કારણે સુંદર વનનું નામ બદલીને તડકા વન પડી ગયુ હતુ.

વિશ્વામિત્રએ રાજા દશરથને વિનંતી કરતાં, તેઓ રામ અને લક્ષ્મણને પોતાની સાથે સુંદર વનમાં લઈ આવ્યા, જ્યાં રામ લક્ષ્મણએ તાડકા અને સુબાહુનો વધ કર્યો. રામના બાણથી ઘાયલ થઈને મરીચ દૂર દક્ષિણમાં દરિયા કિનારે જઇને પડયો.રિયાકિનારે પડી ગઈ.

મિત્રો હજુ પણ રામાયણ ના પાત્રો ના નામ વિશે આ આર્ટીકલ્સમાં માહિતી લખવાની બાકી છે. જો તમે પણ કોઇ રામાયણના પત્રો વિશે જાણતા હોય તેની માહિતી કોમેન્ટ બોકસમાં જરૂરથી લખજો જે અમે આ આર્ટીકલ્સમાં એડ કરી દેશુ.

હું આશા રાખું છું કે તમને અમારો રામાયણ ના પાત્રો ના નામ (Ramayan na Patro na Name in Gujarati) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment