રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે માહિતી, નિબંધ | National Voters Day in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારત એક લોકશાહી દેશ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા લોકશાહી દેશમાં મતદાન એ કોઈ તહેવારથી ઓછું નથી. દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચૂંટણી અને તેના મહત્વ વિશે જાગૃકતતા ફેલાવવાનું છે. ભારતમાં નિષ્પક્ષ અને સરળ ચૂંટણીની જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે. આ બંધારણીય સંસ્થાની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી. તો ચાલો આજે આ૫ણે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ અને તેનાથી સંબંધિત વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે માહિતી (National Voters Day in Gujarati)

દિવસનું નામરાષ્ટ્રીય મતદાતા દિવસ
ઉજવણી તારીખ25 જાન્યુઆરીના રોજ
ઉજવણીનો હેતુ(ઉદેશ્ય) મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે
ઉજવવાની શરૂઆત કયારે થઇવર્ષ 2011 થી

રાષ્ટ્રીય મતદાતા દિવસ શું છે ? 

ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી એટલે આ તારીખની ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવાના હેેેતુથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૨૦૧૧થી કરવામાં આવી હતી. આ વર્ષ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૧૧મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થા૫ના દિવસ ૨૫ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ ૫હેલી વખત રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો શુભારંભ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા સિંહ પાટીલે કર્યો હતો. આ દિવસે નાગરિકોને તેમની ફરજો વિશે યાદ કરાવવામાં આવે છે. કોઈપણ લોકશાહીનું ગૌરવ મૂળભૂત રીતે તેની ચૂંટણી પ્રક્રિયા પર આધાર રાખે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ સામાન્ય નાગરિકોને સુચવે છે કે તેમનો એક મત પણ દેશના હિતમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી:-

  • આ દિવસે મતદારોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
    ચૂંટણી પ્રક્રિયામાં સારી કામગીરી કરનાર કર્મચારી/અઘિકારીઓને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે.
    વક્તવ્ય સ્પર્ધા, લેખન સ્પર્ધા, મતદાર ઓળખપત્ર વિતરણ વગેરે જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
  • દર વર્ષે મતદાતાદિવસે મતદારોને મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવે છે જેથી તેઓ એક નાગરિક તરીકે લોકશાહીના રક્ષણ માટે જાગૃત રહે.
  • આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય નવા મતદારોની નોંધણીને પ્રોત્સાહિત, તેમને સુવિઘા પ્રદાન કરવી તથા વઘુને વઘુ મતદારોની નો છે.
  • આ દિવસે શાળાઓમાં ૫ણ વિવિઘ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં નાટક, નિબંઘ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વિગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભારતીય ચૂંટણી પંચ વિશે:- 

  • ભારતનું ચૂંટણી પંચ ભારતમાં કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરે છે.
  • લોકસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેની દેખરેખ હેઠળ યોજાય છે.
  • બંધારણની કલમ 324-329 ભારતના ચૂંટણી પંચ સાથે સંબંધિત છે.
  • ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી.
  • તેમાં હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુનો હોય છે.

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે માહિતી, નિબંધ (national voters day in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આ બ્લોગ ૫ર વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ ,જીવનચરિત્ર અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment