દર વર્ષે ૩જી માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ (વન્ય પ્રાણી દિવસ) એટલે કે Wildlife day ઉજવવામાં આવે છે. આજના આર્ટીકલ્સમાં આપણે વિશ્વ વન્યજીવ દિવસ (વન્ય પ્રાણી દિવસ) કેમ ઉજવવામાં આવે છે, તેના પાછળનો ઇતિહાસ શું છે?, ઉજવવાની શરૂઆત કયારે થઇ તથા ૨૦૨૩ના વિશ્વ વન્યજીવ દિવસ (વન્ય પ્રાણી દિવસ) ની થીમ (વિષય) શું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.
દર વર્ષે 03 માર્ચના રોજ “વિશ્વ વન્યજીવ દિવસ” ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ દર વર્ષે 03 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવાનું નક્કી કર્યું. થાઇલેન્ડ દ્વારા વિશ્વના વન્યજીવન અને વનસ્પતિ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
વિશ્વ વન્યજીવ દિવસ વિશે માહિતી (Wildlife day in Gujarati)
દિવસનું નામ | વિશ્વ વન્યજીવ દિવસ (Wildlife day) |
ઉજવણી તારીખ | 03 માર્ચ |
ઉજવવાની શરૂઆત (મંજુરી ) કયારે થઇ | 20 ડિસેમ્બર 2013 |
પ્રથમ વખત કયારે ઉજવાયો | 03 માર્ચ 2014 |
આયોજક સંસ્થા | સંયુકત રાષ્ટ્ર મહાસભા |
વિશ્વ વન્યજીવ દિવસનો ઇતિહાસઃ
3 માર્ચ, 1973ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ વિશ્વભરમાંથી લુપ્ત થઇ રહેલા વન્યજીવો અને જંગલી ફળ- ફૂલોના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રતિબંધિત કરવાના ઠરાવ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દિવસની યાદમાં 20 ડિસેમ્બર 2013ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તેના 68મા સત્રમાં લોકોને વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ વધારવા દર વર્ષે 03 માર્ચેના રોજ વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
જંગલી પ્રાણીઓની લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં વર્ષ-૨૦૧૪માં પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસ (વન્ય પ્રાણી દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ વન્યજીવન દિવસની થીમ (વિષય)
દર વર્ષે સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ વન્યજીવન દિવસની થીમ નકકી કરવામાં આવે છે, જેથી લોકોમાં લુપ્ત થઇ રહેલા અને લુપ્તવાના આરે આવેલા વન્યજીવોના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરી શકાય. છેલ્લા ૫ વર્ષમાં ઉજવવામાં આવેલ વિશ્વ વન્યજીવન દિવસની થીમ (વિષય) નીચે મુજબ છે.
વર્ષ | વિશ્વ વન્યજીવન દિવસની થીમ |
2018 | Big Cats |
2019 | Life below Water: for People and Planet |
2020 | Sustaining all Life on Earth |
2021 | Forests and Livelihoods: Sustaining People and Planet |
2022 | Recovering key species for ecosystem restoration |
વિશ્વ વન્યજીવન દિવસની થીમ 2023
દર વર્ષ જેમ ૨૦૨૩માં પણ વિશ્વ વન્યજીવન દિવસની થીમ (વિષય) નકકી કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે વિશ્વ વન્યજીવન દિવસ 2023 “Partnerships for wildlife conservation” એટલે કે “વન્યજીવન સંરક્ષણ માટે ભાગીદારી” થીમ (વિષય) સાથે ઉજવવામાં આવશે.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) ની સ્થાપના 1982 માં કરવામાં આવી હતી. આ સંસ્થા કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે તાલીમ અને સંશોધન સંસ્થા તરીકે ઓળખાય છે.
વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોઃ
વન્યજીવન સંબંધિત ગુનાઓને રોકવા માટે, વન્યજીવ સંરક્ષણ નિયામક હેઠળ વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની રચના કરવામાં આવી હતી. વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એ દેશમાં સંગઠિત વન્યજીવ અપરાધનો સામનો કરવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વૈધાનિક બહુ-શિસ્ત સંસ્થા છે. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. તેની પાંચ પ્રાદેશિક કચેરીઓ નવી દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને જબલપુર ખાતે આવેલી છે.
ભારતમાં વન અને વન્યજીવન સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો:
- વન્ય જીવનના રક્ષણ માટે ભારતના બંધારણમાં 42મા સુધારા (1976) અધિનિયમ દ્વારા. નવા અનુચ્છેદ 48-I અને 51 ઉમેરીને વન્યજીવોને લગતા વિષયોની સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
- વર્ષ 2002 માં, રાષ્ટ્રીય વન્યજીવ કાર્ય યોજના (2002-2016) અપનાવવામાં આવી હતી, જેમાં વન્યજીવનના સંરક્ષણ માટે લોકોની ભાગીદારી અને તેમના સમર્થન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- જંગલી પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં પ્રથમ વખત વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 1927માં ભારતીય વન અધિનિયમ અમલમાં આવ્યો હતો, જેની જોગવાઈઓ અનુસાર જંગલી પ્રાણીઓનો શિકાર અને જંગલોની ગેરકાયદેસર કાપણીને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. - આઝાદી પછી, ભારત સરકાર દ્વારા ભારતીય વન્યજીવન બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
1956માં ફરી ભારતીય વન અધિનિયમ પસાર કરવામાં આવ્યો.
વન્યજીવ સંરક્ષણ કાયદો 1972માં પસાર થયો હતો. આ એક વ્યાપક કેન્દ્રીય કાયદો છે, જેમાં ભયંકર જંગલી પ્રાણીઓ અને અન્ય ભયંકર પ્રાણીઓના રક્ષણ માટેની જોગવાઈ છે.
રાષ્ટ્રીય વન્યજીવન યોજના 1983માં વન્યજીવોની ચિંતાજનક સ્થિતિમાં સુધારો કરવા અને વન્યજીવોના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી હતી.
માર્ચ મહિનામાં આવતા મહત્વપુર્ણ દિવસોઃ
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
- વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
- વિશ્વ ચકલી દિવસ
- વિશ્વ જળ દિવસ
- વિશ્વ વન દિવસ
હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ વન્યજીવ દિવસ (વન્ય પ્રાણી દિવસ) (Wildlife day in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.