આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું 95 વર્ષની વયે અવસાન થયું. તેઓ થોડા સમય માટે નાદુરસ્ત હતા ત્યાર બાદ તેમને બ્રીચ કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાન હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેત્રીના દાદાનું 1 જૂનના રોજ તબિયત નાજુકતા થતાં અવસાન થયું છે. થોડા સમયથી તેમની તબિયત ખરાબ હતી. મિસ્ટર રાઝદાનને ફેફસાના ચેપને કારણે થોડા સમય પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઈન્ફેક્શન વધુ ખરાબ થઈ ગયું હોવાથી ડોક્ટરોએ તેમને ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો.
ALIA BHATT’S GRANDFATHER PASSES AWAY
આલિયા ભટ્ટના દાદા અને સોની રાઝદાનના પિતા નરેન્દ્રનાથ રાઝદાનનો 1 જૂનના રોજ સ્વર્ગવાસ થયો છે. પીઢ અભિનેત્રી સોની રાઝદાને તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતાના અવસાન બાબતે દુ:ખદ વ્યકત કરતા સમાચાર પિતાજીની તસ્વીર સાથે શેર કર્યા હતા.