રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024, ઇતિહાસ, નિબંધ, થીમ, ભાષણ | National Science Day Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) કયારે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે તે પાછળનો ઇતિહાસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે નિબંધ, ભાષણ અથવા અહેવાલ લેખન વિગેરે મુદ્દાઓ બાબતે આજે આ૫ણે વિગતવાર માહિતી મેળવીશુ.

વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વઘુ સરળ બનાવ્યું છે. આજે, વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનલોજીની શોધ કરી છે. કદાચ આ૫ણને તો એ ખ્યાલ જ નહીં હોય કે આ૫ણા રોજબરોજના ઉ૫યોગમાં લેવાતી કેટલીય ટેકનોલોજી કે વસ્તુઓ આ વિજ્ઞાનને જ આભારી છે. એટલું જ નહીં, આના દ્વારા આ૫ણે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવામાં પણ સફળ રહ્યા છીએ.

વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટેકનોલોજીની મદદથી આ૫ણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુઘી ૫હોંચવામાં સફળ થયા છીએ. વિજ્ઞાન આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે તેથી જ દરેક શાળામાં બાળકોને આ વિષય શીખવવામાં આવે છે.

ભારતે ૫ણ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીઘોછે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોઘોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે એક આગવુ સ્થાન હાંસિલ કર્યુ છે.

Must Read: અબ્દુલ કલામ નું જીવનચરિત્ર

Table of Contents

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024 (National Science Day 2024)

નામરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
કયારે ઉજવવામાં આવે છે ૨૮ ફેબ્રુઆરી
સર્વપ્રથમ કયારે ઉજવવામાં આવ્યોવર્ષ ૧૯૮૭માં
વિશ્વ વિજ્ઞાન દિવસ૧૦ નવેમ્બર

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે (When National Science Day Celebrate)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે ૨૮ ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવે છે.

ઘણા વર્ષો પહેલા ભારતીય વૈજ્ઞાનિક ડો. રમણ સિંહ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, આ દિવસને યાદગાર બનાવવા માટે, દર વર્ષે 28 ફેબ્રુઆરીને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ, અને ત્યારથી, આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન તરીકે ઉજવીએ છીએ. અહીં અમે આ લેખમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શું છે, તેનો ઈતિહાસ, તેનો હેતુ અને ૨૦૨૨માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિગેરે વિશે વિગતવાર માહિતી આપીશુ.

Must Read : વિજ્ઞાનનું મહત્વ નિબંધ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે? (Why is National Science Day Celebrated)

તા.28 ફેબ્રુઆરી 1928 એ ભારતીય ઈતિહાસનો એક મહત્વનો દિવસ હતો, કારણ કે આ જ દિવસે આ૫ણા ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી. જેનું નામ હતું રામન ઇફેકટ. તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને ભારતમાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં રામન ઈફેક્ટ નામની તેમની શોધ વિશેષ શોધ બની હતી. તેમના પ્રયત્નો માટે, તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત ૫ણ કરવામાં આવ્યા હતા અને વર્ષ 1930 માં તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

ખાસ વાંચોઃ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું જીવનચરિત્ર

તેમના મહાન પ્રયાસને હંમેશા માટે ભારતીય લોકોના હદયમાં સ્થાન આ૫વા યાદ સ્વરૂપે વર્ષ 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર ભલામણ કરવામાં આવી. ત્યારથી, ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં 28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

ભારતની વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ દિવસની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ (National Science Day Objective)

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદઉ૫રાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે. જેતી આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વઘુુુ વઘુ પ્રગતિ કરી શકે.

આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.

ખાસ વાંચોઃ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વિક્રમ સારાભાઈ નું જીવનચરિત્ર

  • આપણા રોજિંદા જીવનમાં ઉ૫યોગી વિવિધ વૈજ્ઞાનિક શોઘો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.
  • માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓ દર્શાવવી.
  • વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિકાસ માટે, આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.
  • દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમના કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ (National Science Day Themes)

આમ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૭થી ઉજવવામાં આવે છે. ૫રંતુ આ૫ણે અહી છેલ્લા ૫ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે માહિતી મેળવીશુ.

વર્ષ                   થીમ (Themes)
2017વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2018ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2019લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો
2020મહિલા અને વિજ્ઞાન
2021એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને કાર્ય પર અસર
2022‘લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો
2023વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન’

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024ની થીમ (National Science Day 2024 Theme)

આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ Indigenous Technologies For Viksit Bharat એટલે કે ”વિકિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે (National Science Day Activities)

આ દિવસને ખાસ બનાવવા માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે. ભારતની શાળાઓ અને કોલેજોમાં આ દિવસે બાળકો દ્વારા વિવિઘ પ્રકારના કાર્યક્રમો, વિજ્ઞાન પ્રોજેક્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. એટલું જ નહીં, બાળકોને વિજ્ઞાન વિષયની માહિતી આપવામાં આવે છે, જેથી બાળકો આ વિષયમાં પોતાની કારકિર્દી બનાવી શકે.

આ દિવસે રેડિયો અને ટીવી પર વિજ્ઞાન અને તેની શોઘો આઘારિત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન સાથે સંકળાયેલી કોલેજોમાં વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમનો અનુભવ શેર કરી શકે.

ભારતીય વૈજ્ઞાનિકો ના નામ અને તેમની શોધ

ભારતના એવા ઘણા વૈજ્ઞાનિકોએ થઇ ગયા જેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય સંશોધનમાં વિતાવ્યો, અને અનેક ક્રાતિકારી શોધો કરી જેના કારણે આજે પણ તેમનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે લેવામાં આવે છે. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર તેમના આ અમુલ્ય યોગદાનને કઇ રીતે ભુલી શકાય તો ચાલો જાણીએ ભારતીય વૈજ્ઞાનિકો ના નામ અને તેમની શોધ વિશે.

સી વી રમન ડૉ. ચંદ્રશેખર રમણએ પ્રકાશના પરાવર્તન અને પ્રસરણ સાથે સંકળાયેલ રામન ઈફેક્ટની શોધ કરી.
શ્રીનિવાસ રામાનુજનપાઇ (Pi), સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢીઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો, મૉડ્યુલર વિધેયો વિગેરે જેવા ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા
એ પી જે અબ્દુલ કલામભારતના પ્રથમ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SLV)ના વિકાસમાં મહતવપુર્ણ યોગદાન આપ્યુ.
જગદીશચંદ્ર બોઝજગદીશ ચંદ્ર બોઝએ છોડની વૃદ્ધિને માપવા માટે ક્રેસ્કોગ્રાફની શોધ કરી હતી. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં પણ માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.
સત્યેન્દ્રનાથ બોઝતેમની બોઝ આઇન્સ્ટાઇન થીયરી સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ છે. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે
હોમી ભાભાભાભાનું સંશોધન કાર્ય કોસ્મિક કિરણો પર આધારિત હતું. તેમણે પરમાણુ ઉર્જા ક્ષેત્રે આગવી કામગીરી કરી, ભાભા “ઇન્સ્ટિટ્યૂટ ઑફ એટોમિક રિસર્ચ” અને “ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ” જેવી સંસ્થાઓની સ્થાપના કરીને દેશની વૈજ્ઞાનિક પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
હર ગોવિંદ ખુરાનાહર ગોવિંદ ખોરાનાએ શોધ્યું કે કેવી રીતે ન્યુક્લીક એસિડમાં ન્યુક્લિયોટાઇડ પ્રોટીનના સંશ્લેષણને નિયંત્રિત કરે છે.
વિક્રમ સારાભાઈવિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે. તેમણે ઈસરોની સ્થાપના કરી હતી.
સુબ્રમણ્યમ ચંદ્રશેખરતારક ઊર્જાના વિકિરણ સંબંધિત એમનાં સંશોધનોએ તથા શ્વેત-વામન (white dwarf) તરીકે ઓળખાતા એક પ્રકારના તારાઓ અંગેના સૈદ્ધાંતિક સંશોધનોએ અને ખાસ તો, શ્વેત-વામન તારા બનવા માટેના દ્રવ્યની એમણે શોધી કાઢેલી મર્યાદાએ (જે તેમના માનમાં ‘ચંદ્રશેખર-સીમા’ તરીકે ઓળખાય છે) એમને વિશિષ્ટ ખ્યાતિ અપાવી છે.
એસ.એસ. અભ્યંકરીએસ.એસ. અભ્યંકરીએ બીજગણિત ભૂમિતિના ક્ષેત્રમાં યોગદાન આપ્યું હતું.
પ્રફુલ્લ ચંદ્ર રાયપ્રફુલ્લજીએ મર્ક્યુરસ નાઈટ્રાઈટ નામનું નવું સંયોજન શોધ્યું.

વિશ્વ વિજ્ઞાન દિવસ  (World Science Day for Peace and Development)

10 નવેમ્બરના રોજ વિશ્વભરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન પર વિવિઘ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં, લોકોને આ દિવસે વિજ્ઞાન સંબંધિત ફાયદાઓ વિશે પણ જણાવવામાં આવે છે. આ દિવસ સૌ પ્રથમ વર્ષ 2002માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

પ્રશ્નોતરી:-

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

28 ફેબ્રુઆરી

કયા મહાપુરુષની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પ્રશ્ન: કયા મહાપુરુષની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડો.ચંદ્રશેખર રમણ

રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ દ્વારા શેની શોધ કરવામાં આવી હતી?

રામન ઈફેક્ટ

વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

પ્રશ્ન: વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 10મી નવેમ્બરના રોજ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરીને.

રામન ઇફેક્ટ શેની સાથે સંકળાયેલ છે?

રામન ઇફેક્ટ એ પ્રકાશના પરાવર્તન અને પ્રસરણ સાથે સંકળાયેલ છે.

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day Essay in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment