લાભ પાંચમનુ મહત્વ | labh pancham 2023 in gujarat

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

લાભ પાંચમને શૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવળી તહેવારનો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. 

લાભ પાંચમનુ મહત્વ (labh pancham in gujarati)

શૌભાગ્ય એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો. આ દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ કોઇ ૫ણ નવા શુભ કાર્યના મુહુર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.એવી માન્યતા ૫ણ છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યવસાય, ૫રિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે.

આ દિવસે ગુજરાતના વેપારી લોકો નવી ખાતાવહી શરૂ કરી છે અને કુમકુમથી શૂભ-લાભ લખી તથા વચ્ચે સાથીઓ દોરી નવા ચો૫ડાની શરૂઆત કરે છે.  આ દિવસે હિન્દુઓ લક્ષ્મીજીની પૂજા કરે છે . જૈનો જ્ઞાનવર્ઘક પુસ્તકની પૂજા કરે છે. અને વઘુ બુદ્ઘિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. 

આ૫ણા હિન્દુ ગ્રંથોમાં લાભને નિચે મુજબ ૫રિભાષિત કરવામાં આવ્યો છે.

लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः
यशेम इंदेवरा श्याम हुरुदयम थौ जनार्दन

અર્થાત લાભ અને વિજય એના ચરણ ચૂમે છે.જેના હદયમાં શ્યામ રંગવાળા ૫દ્મ સમાન વિષ્ણુનો વાસ હોય છે. એમનો ૫રાજય કઇ રીતે થઇ શકે.

લાભ પાંચમની ઉજવણી:- 

  • દિવાળીના દિવસે જે લોકો શારદા પૂજન ન કરી શકયા હોય તેઓ આ દિવસે પોતાની દુકાનો, ધંધાકીય સંસ્થાઓ ખોલીને તેમની પૂજા કરી શકે છે.
  • આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશની પૂજા કરીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે પ્રાર્થના પણ કરે છે. ગણેશજીની પૂજાથી બઘા વિઘ્નો ટળે છે. લક્ષ્મીજીની પૂજાથી બંઘ કિસ્મત ખૂલે છે. 
  • આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા ૫ણ કરવામાં આવે છે જેનાથી જીવનમાં ખુશીઓ મળે છે. 
  • લાભ પંચમીના દિવસે, સંબંધીઓ, મિત્રો એકબીજાના ઘરે જાય છે, અને મીઠાઈઓ અને ભેટોની આપ-લે કરે છે. કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં વધુ મધુરતા આવે છે.
  • ભારતના કેટલાક પ્રદેશોમાં, લાભ પંચમીના દિવસે, લોકો વિદ્યાની પૂજા કરે છે, અને શાણપણ, જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.
  • લાભ પંચમીના દિવસે લોકો જરૂરિયાતમંદ લોકોમાં કપડાં, મીઠાઈઓ, પૈસા અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ કરે છે.
  • લાભ પંચમીના દિવસે, લોકો એકબીજાને આવનારા સમયમાં સારા લાભ માટે અભિનંદન આપે છે. માર્ગ દ્વારા, મહાન શાસ્ત્રીઓ અને ઋષિ મૂનિઓએ કહયા અનુસાર, માનવ જીવનને પ્રાપ્ત કરવું એ સૌથી મોટો લાભ છે, આ વાતને યાદ રાખીને માનવીએ દુન્યવી વસ્તુઓની પાછળ ન દોડવું જોઈએ, આધ્યાત્મિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સાચા પિતા ૫રમેશ્વ અને તેમના પ્રેમની પ્રાપ્તિ માટે કાર્યરત રહેવુ જોઇએ.

ભારતના અન્ય ભાગોમાં, દિવાળીનો તહેવાર ભાઈબીજના દિવસે પુરો થાય છે. મધ્ય ભારત, ઉત્તર ભારતમાં આ પાંચ દિવસનો તહેવાર હોય છે, જ્યાં ધનતેરસ, કાળી ચૌદસ, દીવાળી, અન્નકૂટ, ભાઈ બીજના તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતમાં, આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને લાભ પંચમીમાં સમાપ્ત થાય છે. દિવાળી પછીના બીજા દિવસે ગુજરાતમાં લોકો ૨-૩ દિવસના પિકનિક માટે ફરવા નિકળી જાય છે. લાભ પંચમીના દિવસે બધા પોતપોતાના કામ પર પાછા ફરે છે અને નવા વર્ષના કામ શરૂઆત કરે છે.

આ ૫ણ વાંચો:- 

  1. કાળી ચૌદસની પૂજા
  2. ધનતેરસનું મહત્વ
  3. ભાઈ બીજ નું મહત્વ
  4. દેવ દિવાળીનું મહત્વ
  5. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો લાભ પાંચમનુ મહત્વ ( labh pancham in gujarat) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment