World Forestry Day 2023 (વિશ્વ વન દિવસ): જેમ કોઇ શિકાર મળી જાય અને અને શિકારી પ્રાણી તેના પર તરાપ નાખે એ રીતે માનવીએ ઔધૌગિકરણ અને વિકાસની હરણફાળમાં પ્રાકૃતિક સંપદા અને વન્ય જીવન પર તરાપ મારી છે. આજે સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન જંગલોનું પ્રમાણ ઘટી રહયુ છે. આથી સમગ્ર વિશ્વમાં વનો/જંગલોનું મહત્વ સમજાવવા તથા તેનું સંરક્ષણ કરવા માટે દર વર્ષે 21 માર્ચેના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો આ આપણે વિશ્વ વન દિવસ ઇતિહાસ, થીમ, અહેવાલ, નિબંધ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
વિશ્વ વન દિવસ વિશે માહિતી (World Forest Day in Gujarati)
દિવસનું નામ | વિશ્વ વન દિવસ (World Forestry Day) |
વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? | 21 માર્ચે |
પહેલી વખત કયારે ઉજવવામાં આવ્યો? | 21 માર્ચ 2013 |
ઉજવણી કરનાર સંસ્થા | યુનાઈટેડ નેશન્સ ફોરેસ્ટ ફોરમ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી |
ઉદેશ્ય | જંગલોનું મહત્વ અને વૃક્ષારોપણ વિશે જાગૃતિ ફેલાવવી |
એક તરફ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાએ માનવીનું જીવવુ હરામ કરી દીધુ છે. ત્યારે લોકોમાં વન્ય સંપદા અને વૃક્ષોના જતન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ વન દિવસની ઉજવણીએ એક પ્રકૃતિ તરફ પાછા વળો એ સિધ્ધાંતનું પ્રથમ સોપાન ગણી શકાય છે.
જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પશુ-પક્ષીઓના જીવનની પણ કલ્પના કરવી અશકય છે, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. જંગલોના આડેધડ નિકંદનના કારણે હવે જંગલોમાં રહેતા પ્રાણીઓના ઘરો છિનવાઇ જવાથી આવા જંગલી પ્રાણીઓની સંખ્યા દિનપ્રતિ દિન ઘટી રહી છે.
Must Read : વૃક્ષો આપણા મિત્રો નિબંધ
વિશ્વ વન દિવસનો ઇતિહાસ (World Forest Day History in Gujarati)
સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ 2012 માં 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે જાહેર કર્યો ત્યારથી, યુનાઈટેડ નેશન્સ ફોરેસ્ટ ફોરમ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને વૈશ્વિક સ્તરે જંગલોના મહત્વ વિશે જાગૃત કરવાનો અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે.
જો કે, કેટલાક નિષ્ણાતોના મતે, પ્રથમ વખત, વૈશ્વિક સ્તરે વન દિવસની ઉજવણી યુરોપમાં વર્ષ 1971માં યુરોપિયન એગ્રીકલ્ચરલ ફેડરેશનની 23મી જનરલ એસેમ્બલી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે યુરોપમાં વિકાસના નામે આડેધડ વૃક્ષો કાપવાના દુષ્પ્રભાવને ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Must Read: વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
વિશ્વ વન દિવસ થીમ (વિષય) (World Forest Day Theme 2023 in Gujarati)
દરેક આંતરરાષ્ટ્રીય વન દિવસ માટેની થીમ કોલાબોરેટિવ પાર્ટનરશિપ ઓન ફોરેસ્ટ્સ (CPF) દ્વારા પસંદ કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસ 2023 ની થીમ ‘વન અને આરોગ્ય’ છે. જ્યારે ગયા વર્ષની 2022ની થીમ ‘જંગલ અને ટકાઉ ઉત્પાદન અને વપરાશ’ (Forests and sustainable production and consumption) હતી.
વર્ષ | વિશ્વ વન દિવસ થીમ (વિષય) |
2018 | Forests and Sustainable Cities (જંગલો અને ટકાઉ શહેરો) |
2019 | Forests and Education (જંગલો અને શિક્ષણ) |
2020 | Forests and Biodiversity: Too precious to lose (જંગલો અને જૈવવિવિધતા: ગુમાવવા માટે ખૂબ કિંમતી) |
2021 | Forest restoration: the path to recovery and welfare (વન પુનઃસ્થાપન: પુનઃપ્રાપ્તિ અને કલ્યાણનો માર્ગ) |
Must Read:પર્યાવરણ બચાવો નિબંધ
ભારતમાં રાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
ભારતમાં દર વર્ષે જુલાઇના પ્રથમ સપ્તાહમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, વર્ષ 1950થી ભારતમાં વન મહોત્સવની ઉજવણીની શરૂઆત તત્કાલિન કૃષિમંત્રી કન્હૈયાલાલ માણિકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી.
70ના દાયકામાં ઉત્તર પ્રદેશ (હાલ ઉત્તરાખંડમાં)ના ચમોલીના લોકોએ વૃક્ષોને કાપવાથી બચાવવા માટે ‘ચિપકો આંદોલન’ કર્યુ હતુ, જેમાં લોકો વૃક્ષોની આસપાસ એક વર્તુળ બનાવીને તેમને વળગી રહેતા હતા જેથી વૃક્ષોને કાપી ન શકાય.
Must Read : પશુ પ્રેમ નિબંધ
જંગલોનું સંરક્ષણ શા માટે જરૂરી છે? તેમનું મહત્વ શું છે?
થોડા વર્ષો પહેલા સુધી પૃથ્વીના કુલ ભૂમિ વિસ્તારનો 50 ટકા ભાગ જંગલોથી આચ્છાદિત હતો, પરંતુ આજે તે ઘટીને માત્ર 30 ટકા જ રહી ગયો છે, જો હજુ પણ જંગલોના સંરક્ષણ પર ભાર મૂકવામાં નહીં આવે તો તેનાથી દેશને નુકસાન થશે. જાનવરો અને પ્રાણીઓનું જીવન આવાસ પર સંકટ આવશે, એટલુ જ નહીં, તેની અસર માણસો પર પણ જોવા મળશે.
જંગલો અને વૃક્ષોની આડેધડ કાપણી અને વધતા જતા પ્રદૂષણના સ્તરને કારણે આજે પૃથ્વી વિવિધ કુદરતી આફતો અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે.
ઘણા ગ્લેશિયર્સ લુપ્ત થવાના આરે છે, હવામાનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, જળચક્રને અસર થઈ છે. માટી સંરક્ષણ અને જીવમંડળ પર પણ ઊંડી અસર જોવા મળી રહી છે.
માર્ચ મહિનામાં આવતા મહત્વપુર્ણ દિવસોઃ
હું આશા રાખું છું કે તમને અમારો વિશ્વ વન દિવસ ઇતિહાસ, થીમ, અહેવાલ, નિબંધ (World Forest Day in Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.