દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા.
ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર
નામ | ચંદ્રશેખર પંડિત |
ઉ૫નામ | આઝાદ |
જન્મ તારીખ | 23 જુલાઈ 1906 |
જન્મ સ્થળ | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં |
પિતાજીનું નામ | પંડિત સીતારામ તિવારી |
માતા નું નામ | જાગરાની દેવી |
વ્યવસાય(કાર્ય) | ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાની |
મૃત્યુ તારીખ | 27 ફેબ્રુઆરી 1931 |
મૃત્યુનું સ્થળ | અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં |
મૃત્યુનું કારણ | અંગ્રેજોના હુમલામાં પિસ્તોલની છેલ્લી ગોળી પોતાની જાતને જ મારી શહીદી વહોરી |
14 વર્ષની ઉંમરમાં ૫સંદ કર્યો ક્રાંતિની રસ્તો:-
ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં થયો હતો. આઝાદના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી તથા માતાનું નામ જાગરાની દેવી હતું. આઝાદનું પ્રારંભિક જીવન આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાબરામાં વિતાવ્યું હતું. બ્રિટિશ શાસિત ભારતમાં ઉછરેલા, આઝાદની નસો શરૂઆતથી જ અંગ્રેજો માટે નફરતથી ભરેલી હતી. 1920 માં, 14 વર્ષની વયે, ચંદ્રશેખર આઝાદ ગાંધીજીના અસહકાર આંદોલન સાથે જોડાયા હતા.
આઝાદ નામ કઇ રીતે ૫ડયુ? :-
14 વર્ષની ઉંમરે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જ્યારે ન્યાયાધીશે તેમનું નામ પૂછ્યું, ત્યારે તેમણે ખૂબ જ નિડરતાથી કહ્યું – ”આઝાદ”.પિતાનું નામ પૂછતાં તેમણે મોટેથી કહ્યું, ‘સ્વતંત્રતા’. સરનામું પૂછતાં તેમણે કહ્યું – જેલ. આના પર ન્યાયાધીશે તેમને જાહેરમાં 15 ચાબુક ફટકારવાની સજા કરી. આ તે ક્ષણ હતી જ્યારે તેની પીઠ પર 15 ચાબુક વરસી રહયા હતા અને તે વંદે માતરમના નારા લગાવી રહયા હતા. આ તે જ દિવસ હતો જ્યારથી દેશવાસીઓએ તેમને આઝાદના નામથી બોલાવવાનું શરૂ કર્યું. તેની ખ્યાતિ ધીરે ધીરે વધી રહી હતી.
Must Read : વીર સાવરકરજીને કેમ થઇ બે વાર આજીવન કેદની સજા
બાળ૫ણથી નિશાનેબાઝ હતા આઝાદ :-
ચંદ્રશેખર આઝાદની નિશાનેબાઝી બાળપણથી જ ખૂબ સારી હતી. તેમણે બાળપણમાં જ તેની તાલીમ લીધી હતી.1922 માં ચૌરી ચૌરાની ઘટના પછી, ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછુ ખેંચી લીધુ, જેથી દેશના બધા યુવાનોની જેમ, આઝાદ પણ કોંગ્રેસથી નારાજ થઈ ગયા.આ પછી, 1924 માં પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, શચિન્દ્રનાથ સન્યાલ, યોગેશચંદ્ર ચેટર્જીએ ઉત્તર ભારતના ક્રાંતિકારીઓ માટે ”હિન્દુસ્તાની પ્રજાતંત્રિક સંઘ”ની રચના કરી. ચંદ્રશેખર આઝાદ પણ આ સંગઠનમાં જોડાઇ ગયા.
ચંદ્રશેખર આઝાદે 1928 માં લાહોરમાં બ્રિટીશ પોલીસ ઓફીસર એસપી સાન્ડર્સને ગોળીમારીને લાલા લાજપત રાયના મોતનો બદલો લીધો હતો.આઝાદ રામપ્રસાદ બિસ્મિલના ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન (એચઆરએ) માં જોડાયા પછી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે સરકારી ખજાનાની લૂંટ ચલાવીને સંસ્થાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું. તેમનું માનવું હતું કે આ સંપત્તિ ભારતીયોની છે, જેને અંગ્રેજોએ લૂંટી લીધી હતી. રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરીકાંડ (1925) માં સક્રિય ભાગ લીધો.
ચંદ્રશેખર આઝાદ નું સુત્ર:-
ચંદ્રશેખર આઝાદ કહેતા કે ‘આપણે દુશ્મનની ગોળીઓનો સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ રહીશું’ એક સમય હતો કે તેમના આ સૂત્રને દરેક યુવક દરરોજ રટણ કરતા હતા. જે ગર્વ સાથે આઝાદ સ્ટેજ પરથી બોલતા, હજારો યુવાનો દેશ માટે તેમની સાથે બલિદાન આ૫વા તૈયાર થઇ જતા હતા.
ચંદ્રશેખર આઝાદ નું મૃત્યુ:-
27 ફેબ્રુઆરી 1931 ના રોજ, તેઓ અલ્હાબાદ ગયા અને જવાહરલાલ નહેરુને મળ્યા અને વિનંતી કરી કે તેઓ ગાંધીજીને માત્ર એટલી વિનીતી કરે કે, ગાંઘીજી લોર્ડ ઇરવિનને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા દબાણ કરે.જ્યારે નહેરુએ આઝાદનું સાંભળ્યું નહીં, ત્યારે આઝાદે તેમની સાથે લાંબા સમય સુધી દલીલ કરી. જેથીર નેહરુજી ગુસ્સે થયા અને આઝાદને તાત્કાલિક ત્યાંથી નિકળી જવાનું કહ્યું. ત્યાંથી ગુસ્સે થઇ આઝાદ તેની સાયકલ પર આલ્ફ્રેડ પાર્કમાં ગયા.
Must Read : કોણ બન્યુ વીર ભગતસિંહની ફાંસીનું કારણ ? જાણો
ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સુખદેવ અને તેના અન્ય એક મિત્ર સાથે મળી યોજના બનાવી રહ્યા હતા. અચાનક બ્રિટિશ પોલીસે તેના પર હુમલો કર્યો. આઝાદે પોલીસ પર ગોળીબાર કર્યો જેથી તેમનો સાથી સુખદેવ છટકી શકે. પોલીસની ગોળીથી આઝાદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તે સેંકડો પોલીસ સામે 20 મિનિટ સુધી લડયા હતા. અંતે, તેમનું સૂત્ર ”આઝાદ છું આઝાદ રહીશ એટલે કે તેઓ કદી પકડાશે નહીં અને ન તો બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે” ને યાદ કર્યુ. તેમણે પિસ્તોલની છેલ્લી ગોળી પોતાની જાતને જ મારી માતૃભૂમિ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો.
Must Read :
હુ આશા રાખુ છુ કે તમને અમારો ચંદ્રશેખર આઝાદ નું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. ચંદ્રશેખર આઝાદ ના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને ચંદ્રશેખર આઝાદ વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.