ભારત રત્ન એવોર્ડ PDF યાદી | Bharat Ratna award list in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. પહેલા રમતગમતનો તેમાં સમાવેશ કરવામાં આવેલ ન હોતો જે બાદમાં યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ. આ સન્માન 2 જાન્યુઆરી 1954 ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.

અન્ય અલંકરણોની જેમ, આ સન્માનનો પણ નામ સાથે શીર્ષક તરીકે ઉપયોગ કરી શકાતો નથી. શરૂઆતમાં આ સન્માન મરણોત્તર આપવાની કોઈ જોગવાઈ ન હતી, પરંતુ વર્ષ 1955માં આ જોગવાઈ પાછળથી ઉમેરવામાં આવી. જેના કારણે મૃત્યુ પછી પણ આ સન્માન લોકોને મળવા લાગ્યું છે. અત્યાર સુધી આ સન્માન 12 લોકોને મરણોત્તર આપવામાં આવ્યું છે, પરંતુ સુભાષ ચંદ્ર બોઝને જાહેર કરાયેલ સન્માન પાછું ખેંચી લીધા બાદ મરણોત્તર સન્માન મેળવનારા લોકોની સંખ્યા 11 ગણી શકાય. એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિને જ ‘ભારત રત્ન’ આપી શકાય છે.

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીને અન્ય પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોની શ્રેણીમાં નામ આપી શકાય છે. મેડલની મૂળ ડિઝાઈન 35 મીમીનો ગોળાકાર સુવર્ણ ચંદ્રક હતો જેની સામેની બાજુએ સૂર્ય હતો, ઉપર હિન્દીમાં ભારત રત્નનો શિલાલેખ, નીચે માળા અને પાછળની બાજુએ રાષ્ટ્રીય પ્રતીક અને મુદ્રાલેખ હતું. બાદમાં આ મેડલની ડિઝાઈનને તાંબાના પીપલના પાન પર ચમકતા પ્લેટિનમ સૂર્યમાં બદલી દેવામાં આવી હતી. તેની નીચે ચાંદીમાં લખેલું છે – ‘ભારત રત્ન’ અને તેને ગળામાં સફેદ ફીત પહેરાવવામાં આવે છે.

સરકારે અત્યાર સુધીમાં 41 લોકોને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ચક્રવર્તી રાજગોપાલાચારીને સૌ પ્રથમ 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. સમાજના દરેક વર્ગના લોકો આ યાદીમાં સામેલ છે. અત્યાર સુધી રમત જગતમાંથી કોઈ આ સન્માન મેળવી શક્યું નથી, પરંતુ સચિન તેંડુલકર આ સન્માન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યા હતા.

ભારત રત્ન એવોર્ડ મેળવારની યાદી (Bharat Ratna award list in Gujarati)

Sr NoYearName
11954સી. રાજગોપાલાચારી
21954ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
31954સી. વી. રામન
41955ભગવાન દાસ
51955એમ.વિશ્વેસવરીયા
61955જવાહરલાલ નેહરુ
71957ગોવિંદ બલ્લભ પંત
81958ધોંડો કેશવ કર્વે
91961બિધાનચંદ્ર રોય
101961પુરુષોત્તમ દાસ ટંડન
111962રાજેન્દ્ર પ્રસાદ
121963ઝાકિર હુસૈન
131963પાંડુરંગ વામન કાણે
141966લાલ બહાદુર શાસ્ત્રી
151971ઈન્દિરા ગાંધી
161975વી.વી.ગીરી
171976કે. કામરાજ
181980મધર ટેરેસા
191983વિનોબા ભાવે
201987ખાન અબ્દુલ ગફાર ખાન
211988એમ.જી.રામચંદ્રન
221990બી.આર.આંબેડકર
231990નેલ્સન મંડેલા
241991રાજીવ ગાંધી
251991વલ્લભભાઈ પટેલ
261991મોરારજી દેસાઈ
271992અબુલ કલામ આઝાદ
281992જે.આર.ડી. ટાટા
291992સત્યજીત રે
301997ગુલઝારીલાલ નંદા
311997અરુણા અસફ અલી
321997એ.પી.જે અબ્દુલ કલામ
331998એમ. એસ. સુબ્બુલક્ષ્મી
341998ચિદમ્બરમ સુબ્રમણ્યમ
351999જયપ્રકાશ નારાયણ
361999પંડિત રવિ શંકર
371999અમર્ત્ય સેન
381999ગોપીનાથ બોરદોલોઈ
392001લતા મંગેશકર
402001બિસ્મિલ્લા ખાન
412009ભીમસેન જોષી
422014સી.એન.આર.રાવ
432014સચિન તેંડુલકર
442015મદન મોહન માલવિયા
452015અટલ બિહારી વાજપેયી
462019પ્રણવ મુખર્જી
472019નાનાજી દેશમુખ
482019ભૂપેન હજારિકા

સૌ પ્રથમ ભારત રત્ન મેળવનાર કોણ હતા

ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું.

ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ છે

1971માં ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા ઈન્દિરા ગાંધી હતા.

ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે

ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વલ્લભભાઈ પટેલ છે

સૌ પ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?

ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી નાગરિક ખાન અબ્દુલ ગફાર ખાન હતા જેમને 1987માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ૧૯૯૦માં નેલ્સન મંડેલા પણ ભારત રત્ન એવોર્ડ એનાયત થયો હતો.

ભારત રત્ન એવોર્ડ શા માટે આપવામાં આવે છે

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારત રત્ન સન્માન મળ્યું હતું

જયપ્રકાશ નારાયણ એવા પ્રથમ ગુજરાતી હતા કે જેમને મરણોપરાંત ભારત રત્ન સન્માન મળ્યું હતું.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment